મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

જેતપુર તાલુકામાં ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી કરનારા ઝડપાઇ ગયા, CCTV કેમેરા ન રાખવા તે CWC ની ગંભીર બેદરકારી: નાફેડના ડાયરેક્ટર મોહનભાઇ કુંડારીયા


SHARE











જેતપુર તાલુકામાં ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી કરનારા ઝડપાઇ ગયા, CCTV કેમેરા ન રાખવા તે CWC ની ગંભીર બેદરકારી: નાફેડના ડાયરેક્ટર મોહનભાઇ કુંડારીયા

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થયેલ છે જે બાબતે નાફેડના ડાયરેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચોરીની આ ઘટના બાબતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે જો કે, જે ગોડાઉનમાંથી ચોરી કરવામાં આવેલ છે તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા જે સીડબલ્યુસી ની ગંભીર બેદરકારી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેને સીડબલ્યુસી ના ગોડાઉનમાં રાખવામાં આવતી હોય છે અને મગફળીના જથ્થામાં અવારનવાર આગ લાગવાની ઘટના તથા મગફળીના જથ્થાની ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ના જેતલસર ગામ પાસે સીડબલ્યુસી નું ગોડાઉન આવેલ છે તે ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાંથી 1212 ગુણી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે તેવી માહિતી નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારીયા દ્વારા આપવામાં આવી હતી અને તેમના કહેવા મુજબ સીડબલ્યુસી ના ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં આગ લાગે અથવા ચોરી થાય આવી કોઈ પણ ઘટના હોય તો તેના માટે સીડબલ્યુસી જવાબદાર હોય છે તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી જોકે જે ગોડાઉનમાંથી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે તેમાં મોટા માથાનો હાથ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને ચોરી થઈ તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા જે સીડબલ્યુસી ની ગંભીર બેદરકારી છે.






Latest News