મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે


SHARE











મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે

ભારત સરકારે દેશના દરેક નાગરિકને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી તથા નવા જનધન ખાતા ખોલવા અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી જેવી નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર 'નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. જેના ભાગરૂપે આગામી ૧૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મોરબી જિલ્લામાં વિવિધ ગામડાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પના ભાગરૂપે આગામી તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મંગલપુર, માળીયા તાલુકાના પંચવટી, મોરબી તાલુકાના ઈંદિરાનગર અને ટીંબડી, ટંકારા તાલુકાના રાજાવડ તથા વાંકાનેર તાલુકાના નવી કલાવડી ખાતે, તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માનસર, માળીયા તાલુકાના રાસંગપર, મોરબી તાલુકાના જાંબુડીયા અને ત્રાજપર, ટંકારા તાલુકાના રોહિશાળા તથા વાંકાનેર તાલુકાના કણકોટ ખાતે, તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માથક, માળિયા તાલુકાના રોહિશાળા, મોરબી તાલુકાના જસમતગઢ અને ઉંચી માંડલ, ટંકારા તાલુકાના સજનપર તથા વાંકાનેર તાલુકાના કાનપર ખાતે તેમજ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મયાપુર, માળીયા તાલુકાના સરવડ, મોરબી તાલુકાના જવાહરનગર અને ઉંટબેટ-શામપર, ટંકારા તાલુકાના સખપર તથા વાંકાનેર તાલુકાના કાશીપર/ચાંચડીયા ખાતે ખાસ કેમ્પ યોજાશે. દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે કેમ્પનો સંબંધિત ગામના લોકોને વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News