ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે


SHARE













મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે

ભારત સરકારે દેશના દરેક નાગરિકને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી તથા નવા જનધન ખાતા ખોલવા અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી જેવી નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર 'નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. જેના ભાગરૂપે આગામી ૧૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મોરબી જિલ્લામાં વિવિધ ગામડાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પના ભાગરૂપે આગામી તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મંગલપુર, માળીયા તાલુકાના પંચવટી, મોરબી તાલુકાના ઈંદિરાનગર અને ટીંબડી, ટંકારા તાલુકાના રાજાવડ તથા વાંકાનેર તાલુકાના નવી કલાવડી ખાતે, તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માનસર, માળીયા તાલુકાના રાસંગપર, મોરબી તાલુકાના જાંબુડીયા અને ત્રાજપર, ટંકારા તાલુકાના રોહિશાળા તથા વાંકાનેર તાલુકાના કણકોટ ખાતે, તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માથક, માળિયા તાલુકાના રોહિશાળા, મોરબી તાલુકાના જસમતગઢ અને ઉંચી માંડલ, ટંકારા તાલુકાના સજનપર તથા વાંકાનેર તાલુકાના કાનપર ખાતે તેમજ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મયાપુર, માળીયા તાલુકાના સરવડ, મોરબી તાલુકાના જવાહરનગર અને ઉંટબેટ-શામપર, ટંકારા તાલુકાના સખપર તથા વાંકાનેર તાલુકાના કાશીપર/ચાંચડીયા ખાતે ખાસ કેમ્પ યોજાશે. દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે કેમ્પનો સંબંધિત ગામના લોકોને વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News