મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે


SHARE















મોરબી જિલ્લાના ૨૪ ગામોમાં પીએમ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાના લાભ આપવા કેમ્પ યોજાશે

ભારત સરકારે દેશના દરેક નાગરિકને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી તથા નવા જનધન ખાતા ખોલવા અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી જેવી નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર 'નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. જેના ભાગરૂપે આગામી ૧૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મોરબી જિલ્લામાં વિવિધ ગામડાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પના ભાગરૂપે આગામી તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મંગલપુર, માળીયા તાલુકાના પંચવટી, મોરબી તાલુકાના ઈંદિરાનગર અને ટીંબડી, ટંકારા તાલુકાના રાજાવડ તથા વાંકાનેર તાલુકાના નવી કલાવડી ખાતે, તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માનસર, માળીયા તાલુકાના રાસંગપર, મોરબી તાલુકાના જાંબુડીયા અને ત્રાજપર, ટંકારા તાલુકાના રોહિશાળા તથા વાંકાનેર તાલુકાના કણકોટ ખાતે, તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના માથક, માળિયા તાલુકાના રોહિશાળા, મોરબી તાલુકાના જસમતગઢ અને ઉંચી માંડલ, ટંકારા તાલુકાના સજનપર તથા વાંકાનેર તાલુકાના કાનપર ખાતે તેમજ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના મયાપુર, માળીયા તાલુકાના સરવડ, મોરબી તાલુકાના જવાહરનગર અને ઉંટબેટ-શામપર, ટંકારા તાલુકાના સખપર તથા વાંકાનેર તાલુકાના કાશીપર/ચાંચડીયા ખાતે ખાસ કેમ્પ યોજાશે. દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે કેમ્પનો સંબંધિત ગામના લોકોને વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News