મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડિસ્કો ડાંડિયા કલાસ બંધ કરવા ચાર મહત્વના નિર્ણયો લેવાયા, રક્ષાબંધનથી પાટીદાર સમાજના બહેનો માટે કન્યા છાત્રાલયમાં ગરબા કલાસિસ શરૂ: મનોજભાઇ પનારા


SHARE















મોરબીમાં ડિસ્કો ડાંડિયા કલાસ બંધ કરવા ચાર મહત્વના નિર્ણયો લેવાયા, રક્ષાબંધનથી પાટીદાર સમાજના બહેનો માટે કન્યા છાત્રાલયમાં ગરબા કલાસિસ શરૂ: મનોજભાઇ પનારા

મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસમાં દૂષણ બંધ કરવા માટે પાટીદાર સમાજે એલાન કર્યું હતું અને તેના ભાગરૂપે આવતીકાલે રક્ષાબંધનના દિવસથી મોરબીની પાટીદાર બહેનો માટે કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવશે અને પાટીદાર સમાજ દ્વારા ચાર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની ગરબા ક્લાસીસના સંચાલકોએ પણ ખાતરી આપેલ છે અને જો ગરબા કલાસિસના સંચાલકો સહકાર નહીં આપે તો કાયદો હાથમાં લેતા પણ પાટીદારો સમાજ અચકાશે નહીં તેવું પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું છે

છેલ્લા વર્ષોમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસના કારણે છેડતી સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા જેને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજ દ્વારા ચાર દિવસ પહેલા રવાપર ચોકડી પાસે પાટીદાર જન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિસ્કો ડાંડીયા ક્લાસીસ મોરબીમાં ચલાવવા દેવામાં નહીં આવે તેવું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસીસના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી અને મોરબીમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ બાબતે મહત્વના ચાર નિર્ણયો પાટીદાર સમાજના આગેવાનો, સીરામીક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના બહેનો દ્વારા લેવામાં આવેલ છે જેમાં પાટીદારોના કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં, અન્ય કોઈપણ વિસ્તારમાં ડિસ્કો ડાંડીયા ક્લાસીસ ચાલુ હોય ત્યાં પાટીદાર યુવક- યુવતીઓને એન્ટ્રી આપવી નહીં, જો પાટીદારોના કોઈપણ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ કે કોમન પ્લોટમાં ગરબા શીખવા માટેનું આયોજન કરવામાં આવે તો ત્યાં કોરિયોગ્રાફર જઈને શીખવે તેવી વ્યવસ્થા ઊભી કરવી અને રક્ષાબંધનના તહેવારથી મોરબીમાં નવા બસ સ્ટેશન પાછળ કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે ગરબા શીખવવા માટે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને આ બધા જ નિર્ણયોમાં ગરબા ક્લાસીસના સંચાલકો દ્વારા પાટીદાર સમાજને સહકાર આપવા માટેની ખાતરી આપવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજના આગેવાન મનોજભાઇ પનારા, સાગર સદાતિયા સહિતનાઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને હાલમાં જે નિર્ણયો ડિસ્કો ડાંડીયા ક્લાસીસ અને ગરબા ક્લાસીસને લઈને લેવામાં આવ્યા છે તેમાં સહકાર આપવાની ખાતરી ગરબા કલાસીસ વાળા આપી રહ્યા છે જો કે, નિર્ણયનો ભંગ કરવામાં આવશે તો પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો પ્રથમ હાથ જોડીને અને ત્યારબાદ કાયદો હાથમાં લઈને ડિસ્કો ડાંડીયા ક્લાસીસ બંધ કરાવશે તેવી પણ ચીમકી ઉતારવામાં આવી છે




Latest News