તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામ પાસે કારખાનાની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત


SHARE











હળવદના ચરાડવા ગામ પાસે કારખાનાની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

હળવદ તાલુકાના ચરડવા ગામની સીમમાં આવેલ કારખાનામાં પાણીનો અંડર ગ્રાઉન્ડ ટાંકો આવેલો છે તે ટાંકાની ઓરડીમાં કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કેબલ વાયર વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ બીસેરો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ સતનભાઈ પ્રજાપતિ (36) એ કોઈ કારણોસર કારખાનાની પાછળના ભાગમાં આવેલ અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાની ઓરડીમાં લોખંડના હુક સાથે ઇલેક્ટ્રીક કેબલ વાયર બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની શ્રીરામ શંકરભાઈ પ્રજાપતિ (24) રહે હાલ બીસેરો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મૂળ રહે યુપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક વિનોદભાઈ પ્રજાપતિ જીદ્દી સ્વભાવનો હતા અને પોતે પોતાની જાતે કોઈ કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

બાઈક સાથે રોજડુ અથડાતા અકસ્માત
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામ પાસેથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક સાથે રોજડુ અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં દિશાબેન અમરસીભાઈ પરમાર (10) અને જયશ્રીબેન અમરસીભાઈ પરમાર (18) રહે. બંને નવા દેવળિયા વાળાને ઇજાઓથી હોવાથી સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે

અકસ્માતમાં ઇજા
હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા હરેશપરી દયાલપરી ગોસ્વામી (50) નામના આધેડને બાઈક અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને મોરબીનીબાયું હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News