હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 શખ્સ 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત


SHARE











હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત

હળવદના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે મોરબીના રાજપર રોડ ઉપર મામા સાહેબના મંદિર પાસે યુવાન તેની દુકાને બેઠો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો 25 વર્ષનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વી.પી.ચાવડા ચલાવી રહ્યા છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે. જ્યારે મોરબી નજીકના સનાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ અરજણભાઈ જરૂ (45) નામનો યુવાન રાજપર રોડ ઉપર આવેલ મામા સાહેબના મંદિર પાસે પોતાની દુકાને બેઠો હતો ત્યારે તેને અચાનક છાતીઓમાં દુખાવો ઉપાડતા 108 મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News