મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE















મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ

શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન શિવની શ્રદ્ધા સાથે સેવાનો ઉત્તમ સંદેશ આપવાનું કામ કરવામાં આવે છે.જેમાં મોરબી શહેરમાં દરેક તહેવાર અને જન્મદિનને પ્રેરણાત્મક સેવાકાર્યમાં પરિવર્તિત કરનાર યંગ ઇન્ડિયા ગ્રૂપ કેજે વર્ષોથી પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવને શ્રદ્ધા સાથે પ્રતીકાત્મક દૂધ અર્પણ કરી દૂધનો સકારાત્મક ઉપયોગ એટલે કે દૂધપાક સાથેનું અનેક લોકોને સ્વાદિષ્ટ ભોજન કરાવી ખરા અર્થમાં શિવને પ્રસન્ન કરવામાં આવે છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના જરૂરીયાતમંદ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને દૂધપાક તથા પૌષ્ટિક પુરી-ભાજીનું ભરપેટ ભોજન અપાયું.હતું. માત્ર ભોજન જ નહીં, પણ તેની પાછળ પ્રથમ જીવ રાજી, પછી જ શિવ રાજીનો સંદેશ છુપાયેલો છે.યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડૉ.દેવેનભાઈ રબારીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમે કશું મોટું કામ કર્યું નથી. આપણા સમાજમાં જ વસતા એવા બાળકો કે જે પોષણક્ષમ ભોજનથી વંચિત છે, તેમને દૂધપાક જેવા પૌષ્ટિક ભોજનથી તૃપ્ત કરવું તે માનવતા છે. લોકો શ્રાવણના સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે. પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવવાનો સકારાત્મક પ્રયાસ કર્યો છે.દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય કરવાનું જ અમારું ધ્યેય છે.યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા સતત ૧૭ વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારમાં આવી જ રીતે સેવાભાવના અભિયાન ચલાવતું આવ્યું છે.




Latest News