તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી


SHARE











હળવદના જુના દેવળીયા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી

હળવદના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ મોબાઈલ ટાવરમાં મૂકવામાં આવેલ બેટરીમાંથી 48 બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગામના રહેવાસી અને આર.એસ. સિક્યોરિટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રહલાદસિંહ નટુભા રાણા (47)એ અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે તળાવની પાળ પાસે ઈન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરને અજાણ્યા શખ્સે નિશાન બનાવેલ છે અને મોબાઈલ ટાવરમાં લગાવવામાં આવેલ અમરારાજા કંપનીની 48 બેટરી જેની કિંમત 25 હજાર રૂપિયા થાય છે તે બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હસીનાબેન કાસમભાઇ જામ (45) નામના મહિલાને બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા જયાબેન પ્રવીણભાઈ (36) નામના મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ ફી લેતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News