ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ પાસે વૃદ્ધનું અને અણિયારી ચોકડી નજીક યુવાનનું અકસ્માતમાં મોત


SHARE







મોરબીના જસમતગઢ પાસે વૃદ્ધનું અને અણિયારી ચોકડી નજીક યુવાનનું અકસ્માતમાં મોત

મોરબી તાલુકાના બે જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના બે બનાવ બનેલ હતા જેમાં એક વૃદ્ધ અને એક યુવાનનું મોત નીપજયું છે જેથી બંને બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ જસમતગઢ ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પીઠાભાઈ ભીમાભાઇ ગોહિલ (60) રહે. મારુતિ પાર્ક સોસાયટી પીપળી ગામ વાળાનું મોત નીપજયું હતું આ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી અને વધુમાં તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ નોકરી ઉપરથી ઘરે જતાં હતા ત્યારે પેટ્રોલ પંપેથી તેના  વાહનમાં પેટ્રોલ ભરાવીને રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે તેના બાઇકને બોલેરોના ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું

જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબી તાલુકાના અણીયારી ચોકડીથી માળિયા બાજુ જતા રસ્તે બન્યો હતો જેમાં ડબલ સવારી બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં વિકાસ રામજતભાઈ સેન (25) રહે. અણીયારી ચોકડી મામા લેમીનેટ કારખાના પાસે તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે. બડાગામ તાલુકો સુહાગી જીલ્લો રિવા મધ્યપ્રદેશ નામના યુવાનનું અકસ્માત બનાવમાં મૃત્યુ નીપજ્યું હતું.

જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા આ બનાવની હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા આર.આર.મિયાત્રા દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી જો કે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી હવે આગળની તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અને અન્ય મજૂર બાઇક ઉપર શાકભાજી લેવા માટે માળીયા જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જેમાં યુવાનનું મોત નીપજયું છે.






Latest News