મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.


SHARE













મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.

મોરબી શહેરમાં રાજાશાહી વખતનું ધોળેશ્વર સમશાન આવેલ છે.આ સ્મશાન પાસે ધોળેશ્વર  મહાદેવનું મંદિર પણ આવેલું છે.અહીં જ મોરબી સ્ટેટનું સમશાન પણ આવેલ છે.તેમજ ગોસ્વામી સમાજનું સમશાન પણ અહીં જ છે.

હાલમાં આ પુરાણું સમશાન સાવ જર્જરિત હાલતમાં થઇ ગયેલ છે. હાલમાં કોઈ માનવ સબને અગ્નિ સંસ્કાર દેવાનું હોય ત્યારે ખુબ જ મુશ્કેલી પડી રહી છે.આ સમશાનનું સંચાલન મોરબીની પાંજરાપોળ સંસ્થા હસ્તક છે.આ સ્મશાનનો ઉપયોગ મોરબીના ઘણા વિસ્તારના લોકો કરી રહ્યા છે.ત્યારે આ સમશાનનું આધુનિકરણ કરીને ગેસ આધારિત સ્મશાન બનવવામાં આવે તેમજ એક પ્રાર્થના હોલનું જો મહાનગર પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવે તો ઘણા લોકોને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેમ છે.તો આ બાબતે પાલીકા દ્વારા ગ્રાન્ટ ફાળવીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્રારા મહા પાલીકાના કમિશ્નરને કરવામાં આવેલ છે.






Latest News