હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અનુ. જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે


SHARE











મોરબી જિલ્લા અનુ. જાતિના લોકો ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે

અનુસુચિત જાતિના લોકોને સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાનાં અનુસુચિત જાતિના લોકોને અનુરોધ કરવામાં આવે છે.

અનુસુચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પુરા પાડવાનો સરકારનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય, તદ્દન કાચું, ઘાસ માટીનું, ઘાસપુળાનું, કુબા ટાઈપનું મકાન જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે પણ રૂ.૧.૭૦ લાખની સહાય ચાર (૪) હપ્તામાં મળવાપાત્ર છે. જે અન્વયે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, મોરબી જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.






Latest News