મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મહત્વનો હુકમ: મોરબીમાં ભાડુંઆતના કબ્જા વાળી દુકાનને નુકસાન ન થાય તેમ ઉપરનો જોખમી ભાગ તોડવા કોર્ટનો મહાપાલિકાને આદેશ


SHARE











મહત્વનો હુકમ: મોરબીમાં ભાડુંઆતના કબ્જા વાળી દુકાનને નુકસાન ન થાય તેમ ઉપરનો જોખમી ભાગ તોડવા કોર્ટનો મહાપાલિકાને આદેશ

મોરબીમાં શનાળા રોડ ઉપર સિવિલ હોસ્પીટલ સામે ભાડુતી કબજાવાળી જીતેન્દ્ર પાનના નામથી ઓળખાતી દુકાનના ઉપર ના ભાગે આવેલ સ્વઃ બાબુલાલ ઈશ્વરલાલ ઘડીયા (સંજય ઓટો મોબાઈલ્સ વાળા) ની માલીકી કબજા વગર ની પડતર મિલ્કત નો ર્જજરીત, જોખમકારક ભાગ પાડવા માટે મોરબી મહાપાલીકા તરફથી હુકમ કરવામાં આવેલ તેની સામે અરજદાર/ વાદી અનિલભાઈ દેવશંકરભાઈ મોઢાએ મોરબી મહાપાલીકા સામે મોરબીની કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ નં ૧૩૭/૨૦૨૫ થી દાવો દાખલ કરેલ હતો જેમાં વચગાળાના મનાઈ હુકમ અંગેની અરજી કરેલ હતી

આ દાવામાં અરજદાર/ વાદી અનિલભાઈ દેવશંકરભાઈ મોઢાએ મોરબી મહાપાલીકા સામે દાદ માંગેલ હતી કે, તેના કબજા ભોગવાટ વાળી " જીતેન્દ્ર પાન' વાળી દુકાનને નુકશાન કર્યા વગર કે પાડયા વગર દુકાનનો ઉપરનો ભાગ પાડવો તથા દુકાનના માલીક સ્વઃ બાબલાલ ઈશ્વરલાલ ઘડીયા (સંજય ઓટો મોબાઈલ્સ વાળા) ના પુત્ર સંજયભાઈ બાબુલાલ ઘડીયાલીએ પણ અરજદાર/ વાદી અનિલભાઈ દેવશંકરભાઈ મોઢાની કબજા ભોગવાટ વાળી દુકાનના કબજા ભોગવટામાં અડચણ, અંતરાયી કે દખલ કરવી નહી તેવી કોર્ટ સમક્ષની વાદીની વચગાળાની અરજી કોર્ટે મંજુર કરેલ છે. અને જોખમકારક ભાગ પાડતી વખતે જેસીબી જેવી ભારે મશીનરીનો ઉપયોગ કરવાને બદલે મેન્યુલી એટલે કે હાથેથી પાડવાનુ કામ કરવામાં આવે તેવો હુકમ કરવામાં આવેલ છે. તેમજ કોર્ટે આ દાવાના કામે મોરબી મહાપાલીકાની સુનવણી માટેનો તથા વાંધા જવાબ રજુ કરવા માટેનો હકક પણ બંધ કરવાનો હુકમ કરેલ છે. આટલું જ નહીં સંજયભાઈ બાબુલાલ ઘડીયાલીએ કાયદાની યોગ્ય પ્રક્રિયાનુ પાલન ન થાય ત્યાં સુધી અરજદાર/ વાદીની કબજા ભોગવાટ વાળી દુકાનના તેમના કાયદેસરના કબજામાં દખલ કરવાનો પણ પ્રતિબંધ છે આ કેસમાં વાદીના એડવોકેટ તરીકે નિકુંજ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.






Latest News