મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મીં)ના દેવગઢ પાસે રીક્ષા પલ્ટી જતા બે લોકો સારવારમાં


SHARE













મોરબી : માળીયા (મીં)ના દેવગઢ પાસે રીક્ષા પલ્ટી જતા બે લોકો સારવારમાં 

મોરબીના માળીયા મીંયાણા તાલુકાના જુના દેવગઢ (જાજાસર) ગામે રહેતા ભરતભાઈ રૂપાભાઈ ધોળકીયા (38) અને કેશુભાઈ ખોડાભાઈ કોળી (67)ને સારવાર માટે મોરબી લવાયા હતા. રીક્ષામાં જતા સમયે રીક્ષા પલ્ટી મારી જતા બન્નેને ઈજાઓ પહોંચી હતી.

બનાવ દેવગઢ ગામ પાસે બનેલ હોય પોલીસે આગળની તપાસ કરી હતી. જયારે જેતપર રોડ પાવડીયારી પાસેના અલાસકા સિરામીક પાસે રહી મજુરી કામ કરતા સરદારભાઈ શંકરભાઈ જાટ (50)ને યુનીટમાં મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.

 જયારે હળવદ રોડ ઉંચી માંડલ પાસેના ઓરીન્ડા સિરામીકમાં બોઈલ મીલ લોડીંગ કરતા સમયે રસ્તો તુટી જતા ભોલાભાઈ (20) નામના યુવાનને કમર અને જમણા પગે ઈજા થતા સારવાર માટે શિવમ હોસ્પિટલે લવાયો હતો.

દવા પી જતા

 આમરણ (બેલા) રહેતા કાસમ આમદભાઈ જામ નામનો 34 વર્ષનો યુવાન મંદિર પાસે તેના ઘરે દવા પી જતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે લવાયો હતો તો ભડીયાદ રોડે નળીયાના કારખાના પાસે બાઈક સ્લીપ થઈ જતા ગીરધરભાઈ વાસુભાઈ સનુરા (58) રહે. ત્રાજપર સારવાર માટે ખસેડાયા હતા. તેમજ વાંકાનેરના કોઠારીયા (જડેશ્ર્વર)ના રહેવાસી મહિપતસિંહ પ્રતાપસિંહ ઝાલા (46)ને મારામારીમાં ઈજા થતા અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 જયારે હળવદના વેગડવાવ ગામે વાડીએ દવા છાંટતા સમયે ચામડી પર અસર થતા જનકબેન પ્રતાપભાઈ પીપળીયા નામની 30 વર્ષની મહિલાને સારવાર માટે મોરબી લવાયા હતા.

યુવાન સારવારમાં

 રાજકોટની માધાપર ચોકડીએ કોઈ ઈસમે પથ્થર મારતા અલી નુરમહંમદ માણેક (45) રહે. કુલીનગર વીસીપરાને રાજકોટ પ્રાથમીક સારવાર આપીને હાલ અત્રેની સિવિલે એડમીટ કરાયો હતો.

જયારે ટંકારાના નાના ખીજડીયા ગામે જુની પ્રાથ.શાળા પાસે રહેતા જયલીબેન મહેશભાઈ (35) ઘરે કોઈ કારણસર એસીડ પી જતા સારવારમાં મોરબી લવાયા હતા. તેમજ ધ્રાંગધ્રાના વિરાણીયા ખાતે રહેતા હરીષસિંહ ઉદેસિંહ જાડેજા (81) નામના વૃધ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા. ત્યારે સ્લીપ થતા ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી લવાયા હતા.

આધેડ સારવારમાં

 છાત્રાલય રોડ બાલાજી ડેરી પાસે બાઈક ચાલકે હડફેટે લેતા દામજીભાઈ વાઘજીભાઈ પંચાસરા (77) રહે. શ્રીકુંજ સોસાયટીને સારવાર માટે લઈ જવાયા હતા. જયારે ઘરે જાતે બ્લેડ વડે ચેકા મારી લેતા સનેશભાઈ શામજીભાઈ કુણપરા (14) રહે. રણછોડનગરને સારવારમાં સિવિલે લવાયો હતો. તો ગુ.હા. બોર્ડ સામાકાંઠે ગણેશ ડેરી નજીક વાહન સ્લીપ થઈ જતા ઈજા પામેલા નરસીભાઈ જેસીંગભાઈ સનુરા (45) રહે. ત્રાજપર ખારી વિસ્તારને સારવારમાં લઈ જવાયા હતા.

વાહન અકસ્માત

 ખાનપર ગામે રહેતા નરભેરામભાઈ ગણેશભાઈ અમૃતીયા (56)નું બાઈક સ્લીપ થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપર પીપળી રોડ એબીસી સીરામીક પાસે આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા વાહન અકસ્માતમાં વિવેક રમેશભાઈ બાપલીયા (29) રહે. શનાળા રોડ મોરબીને સારવાર માટે ખસેડાયો હતો




Latest News