મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં રવાપરામાં સરપંચના સૌથી વધુ ૬ ઉમેદવાર: મલાઈદાર ગામમાં લોકોને પ્રાથમિક સુવિધાની ઝંખના !


SHARE











મોરબી તાલુકાનાં રવાપરામાં સરપંચના સૌથી વધુ ૬ ઉમેદવાર: મલાઈદાર ગામમાં લોકોને પ્રાથમિક સુવિધાની ઝંખના !

મોરબી તાલુકાના ૮૧ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે પૈકીના રવાપર ગામની અંદર સૌથી વધુ છ સરપંચ પદ માટેના ઉમેદવાર છે ત્યારે આગામી સમયમાં જે મતદાન કરવાનું છે તેમાં મતદારો દ્વારા કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને પોતાના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટવાના છે તે જાણવાનો પ્રયાસ કરતાં રવાપરા ગામના લોકોએ તેઓની પ્રાથમિક સુવિધાઓને પૂરી કરી શકે તેવી બોડી ચૂંટણીમાં વિજેતા બને તેવી અપેક્ષા અને લાગણી વ્યક્ત કરેલ છે

મોરબી જિલ્લામાં કુલ મળીને ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી તે પૈકીના ૭૧ ગામની અંદર ગ્રામ પંચાયતો સમરસ બની ગઇ છે જેથી કરીને ત્યાં ચૂંટણી યોજાવાની નથી જોકે ૨૩૨ ગ્રામ પંચાયતોમાં આગામી તારીખ ૧૯ ના રોજ સરપંચ અને સભ્યો માટે યોજાનારી ચૂંટણીમાં મતદાન લોકો દ્વારા કરવામાં આવનાર છે અને જો ૨૩૨ ગામની વાત કરીએ તો તેમાં સૌથી વધુ મોરબી તાલુકાના રવાપરા ગામની અંદર સરપંચ પદના ઉમેદવારો છે જેમાં સરપંચ પદ માટે કુલ મળીને છ વ્યક્તિઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને રવાપરા ગામના ચૂંટણી અધિકારી વિપુલભાઈ જીવાણી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતુ કે, રવાપરા ગામ કે જે ગામની વસ્તી ૧૨,૯૦૦ કરતા વધુની છે

આ ગામના લોકો દ્વારા નવી બોડી પાસે કઈ અપેક્ષા છે તે જાણવા માટેનો પ્રયાસ કરતા ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામની અંદર સૌથી વધુ વસ્તી હોવા છતાં આજની તારીખે અનેક વિસ્તારમાં રોડ-રસ્તાના કામ કરવાના બાકી છે તે કામ ઝડપથી પૂરા કરવામાં આવે, ગામના વડીલો બેસી શકે તેમજ બાળકો રમી શકે તે પ્રકારે બાગ બગીચાની વ્યવસ્થાઓ જુદા જુદા વિસ્તારમાં ઊભી કરવામાં આવે, રવાપરા ગામ વિસ્તારની અંદર જુદી જુદી જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા દિવસની અંદર વધી ગયો છે ત્યારે રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી પણ નવી આવનાર બોડીના સરપંચ તેમજ સભ્યો દ્વારા કરવામાં આવે તેવી લાગણી અને માગણી ગામના લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, રવાપરા વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં આ ગામના ઘણા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી જાય છે જેથી કરીને લોકોને નુકશાની સહન કરવી પડે માટે માટે રવાપરા ગામમાં વરસાદી પાણીના નિકાલની આડે કોઈના પણ દબાણો હોય તો તેને દૂર કરીને વરસાદી પાણીના નિકાલ ખુલ્લા કરવામાં આવે તેવી પણ લાગણી ગામના લોકોએ વ્યક્ત કરેલ છે તેની સાથોસાથ ગામની અંદર લોકોની તેમજ તેના જાનમાલની સલામતી માટે સીસીટીવી કેમેરાનું પણ આયોજન નવી બોડી દ્વારા કરવામાં આવે તે પણ લાગણી ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આગામી સમયમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યો લોકોની અપેક્ષા ઉપર કેટલા ખરા ઉતરશે કે નહીં તે તો સમય જ બતાવશે 






Latest News