મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનએ રાજકોટમાં જીવન ટુકાવ્યું


SHARE











મોરબીના યુવાનએ રાજકોટમાં આપઘાત કર્યો,22 વર્ષીય યુવાન રાજકોટમાં રૂમ ભાડે રાખી રહેતો, મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો, ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી : કારણ અકબંધ

મોરબીના 22 વર્ષીય મકબુલ સુમરાએ રાજકોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત અનુસાર, મકબુલ અલીમહંમદ સુમરા (ઉંમર વર્ષ 22, રહે.મોરબી, વીસીપરા મેઈન રોડ મોરબી) ગઈકાલે 6:45 વાગ્યાં આસપાસ રાજકોટના વૈશાલીનગર શેરી નંબર 3 હરિભાઈ ડાંગરના મકાનમાં હતો. ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો.

જેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરેલ. મકબુલ મૂળ મોરબીનો વતની હતો. તેના પિતા અલીમહંમદભાઈ મોરબીમાં ભંગારનો ધંધો કરે છે. મકબુલ ત્રણ ભાઈ અને એક બેનમાં ત્રીજા નંબરનો હતો. તે અપરણિત હતો. અહીં રાજકોટમાં વૈશાલીનગરમાં રૂમ ભાડે રાખી મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો હતો. પરિવારજનો આત્મહત્યાના કારણથી અજાણ હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 






Latest News