ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનએ રાજકોટમાં જીવન ટુકાવ્યું


SHARE











મોરબીના યુવાનએ રાજકોટમાં આપઘાત કર્યો,22 વર્ષીય યુવાન રાજકોટમાં રૂમ ભાડે રાખી રહેતો, મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો, ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી : કારણ અકબંધ

મોરબીના 22 વર્ષીય મકબુલ સુમરાએ રાજકોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત અનુસાર, મકબુલ અલીમહંમદ સુમરા (ઉંમર વર્ષ 22, રહે.મોરબી, વીસીપરા મેઈન રોડ મોરબી) ગઈકાલે 6:45 વાગ્યાં આસપાસ રાજકોટના વૈશાલીનગર શેરી નંબર 3 હરિભાઈ ડાંગરના મકાનમાં હતો. ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો.

જેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરેલ. મકબુલ મૂળ મોરબીનો વતની હતો. તેના પિતા અલીમહંમદભાઈ મોરબીમાં ભંગારનો ધંધો કરે છે. મકબુલ ત્રણ ભાઈ અને એક બેનમાં ત્રીજા નંબરનો હતો. તે અપરણિત હતો. અહીં રાજકોટમાં વૈશાલીનગરમાં રૂમ ભાડે રાખી મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો હતો. પરિવારજનો આત્મહત્યાના કારણથી અજાણ હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 






Latest News