આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન


SHARE













મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન

'ભવ્ય કાશી દિવ્ય કાશી' માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રણ લીધુ હતું કે કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને વિશ્વભરમાં વસતા શિવભક્તો માટે વિશાળ કોરિડોર બનાવવામાં આવે ત્યારે આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પૂર્ણ થતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા આવતી કાલ તા.૧૩-૧૨ ના રોજ સવારે ૧૧ કલાકે કાશી વિશ્વનાથ બાબાના આર્શીવાદથી આ ભવ્ય કોરિડોર દેશને સમર્પિત કરશે.તે અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મોરબી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત તા.૧૩ ના સવારે ૧૦ વાગ્યે યુવા ભાજપની ટીમ દ્રારા ભવ્ય બાઈક રેલી યોજાશે આ રેલી નરસંગ ટેકરી મંદિરથી સ્વાગત હોલ ખાતે ત્યાંથી કેનાલ રોડ થઇને ઉમિયા સર્કલથી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે અને ત્યાંથી પરત નરસંગ ટેકરી મંદિર ખાતે પૂર્ણ થશે ત્યારબાદ

તેમજ સવારે ૧૦ કલાકે મહીલા ભાજપની ટીમ દ્રારા કળશયાત્રા યોજાશે.બાદમાં કાશી ખાતે પીએમ મોદી જીર્ણોદ્ધાર બાદના નવનિર્મીત કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરને જનતાને સમર્પીત કરવાના છેતે લાઈવ કાર્યક્રમ તા.૧૩-૧૨ ને સોમવારે સવારે ૧૧ કલાકે યોજાનાર છે તે લાઇવ કાર્યક્રમ લોકો નિહાળી શકે તે માટે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તેમજ જીલ્લા ભાજપની ટીમ દ્રારા નરસંગ મંદિર રવાપર રોડ ખાતે લાઇવ કાર્યક્રમ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જીલ્લા ભાજપ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મહામંત્રી જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડી તથા જિલ્લા ભાજપની ટીમ તેમજ યુવા-મહીલા ભાજપ ટીમ દ્રારા જહેમત ઉઠાવનામાં આવી રહી છે.






Latest News