મોરબીના લીલાપર રોડ ઉપરથી મળી આવેલ અફીણના જથ્થાના કેસમાં ધાંગધ્રાના બાવડી ગામના ગઢવી શખ્સની ધરપકડ
મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ
SHARE
મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ
દેશના વડાપ્રધાન મોદીના હસ્તે કાશી કોરીડોરનુ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યુ છે.તે નિમિતે મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ હતી.
કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે મોક્ષનગરી ગણાતી કાશીનગરીમાં વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની મહાઆરતી યોજવામાં આવી હતી.કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે જેમાં નામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે પણ કાશી વિશ્વનાથ મહાદેવની આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી મહંત ભાવેશ્વરી માઁ અને શ્રધ્ધાઓએ આરતી અને મહાપૂજાનો લાભ લીધો હતો તેમ આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.