મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષકોનું પી.ડી.કાંજીયા દ્વારા કરાયું અદકેરું સન્માન
મોરબી જીલ્લામાં ખેડૂતો સાથે થતી કળદા પ્રથા-અત્યાચાર બંધ કરાવવા આપે આવેદન આપ્યું
SHARE
મોરબી જીલ્લામાં ખેડૂતો સાથે થતી કળદા પ્રથા-અત્યાચાર બંધ કરાવવા આપે આવેદન આપ્યું
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ખેડૂતો સાથે થતી કળદા પ્રથા બંધ કરાવવા માટે તેમજ યાર્ડની અંદર ખેડૂતોનું શોષણ બંધ કરાવવા તેમજ બોટાદની અંદર ખેડૂત મહાપંચાયત સમયે જે ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેમનો સખત વિરોધ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ હતો અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવિણભાઇ રામ તેમજ જે ખેડૂતો ઉપર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની અને નિર્દોષ ખેડૂતોને છોડી મુકવાની કલેક્ટરને આવેદન પત્ર આપીને માંગણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના પંકજ રાણસરિયા દ્વારા મોરબી જિલ્લાના ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં ગમે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ખોટી રીતે દબાવવાના પ્રયાસો કરવામાં આવશે તો ખેડૂતના દીકરાના નાતે જેમ પાવડો લઈને પાણી વળતા આવડે છે એ જ રીતે ખેડૂતોના હિત માટે હવે પાવડો ઉપાડવામાં પણ આવશે.