તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું


SHARE











હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું

હળવદના દીઘડિયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી કરવામાં આવી હતી જો કે, સગાઈ થઈ ન હતી જેથી તે બાબતે સગીરાને લાગી આવ્યું હતું અને સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના કંસારાવાવ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં તરુણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ ફતેસિંહ નાયકની 17 વર્ષની દીકરી સરોજબેને ઓરડીની અંદર લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક સગીરાના પિતા જગદીશકુમાર નાયક દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરાની પાંચેક મહિના પહેલા તેના વતનની બાજુમાં આવેલા ગામમાં છોકરા સાથે સગાઈ નક્કી કરેલ હતી જો કે, સગાઈ કરેલ ન હોય તે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું છે તેવી વિગતો તેના પરિવારજનો પાસેથી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News