મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું


SHARE













હળવદના દીઘડિયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી થયા બાદ ન થતાં અંતિમ પગલું ભર્યું

હળવદના દીઘડિયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીની સગાઈ નક્કી કરવામાં આવી હતી જો કે, સગાઈ થઈ ન હતી જેથી તે બાબતે સગીરાને લાગી આવ્યું હતું અને સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના કંસારાવાવ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં તરુણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ ફતેસિંહ નાયકની 17 વર્ષની દીકરી સરોજબેને ઓરડીની અંદર લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક સગીરાના પિતા જગદીશકુમાર નાયક દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરાની પાંચેક મહિના પહેલા તેના વતનની બાજુમાં આવેલા ગામમાં છોકરા સાથે સગાઈ નક્કી કરેલ હતી જો કે, સગાઈ કરેલ ન હોય તે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું છે તેવી વિગતો તેના પરિવારજનો પાસેથી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News