મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં આવેલી ન્યુ વરિયા પ્રજાપતિ નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ થાનગઢના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ સામે ન્યુ વરિયા પ્રજાપત નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા જીતેશભાઈ પ્રભુભાઈ સીતાપરાની 16 વર્ષની દીકરી સંજનાબેન સીતાપરાએ કોઈપણ કારણોસર કારખાનાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી 108 મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ આર.આર.મિયાત્રા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતી કે, મૃતક સગીરાને આંચકીની બીમારી હતી. તેવુ તેના પરિવારની પૂછપરછમાં સામે આવ્યું છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર (27) નામનો યુવાન કોઈ કારણોસર ઈંટોનો ભઠ્ઠા પાસે ટાઇલ્સ ક્લીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ સોનલ સોસાયટીમાં રહેતા શાંતુબાઈ અમરસિંહ લાંબા (70) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રફાળેશ્વર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News