મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં આવેલી ન્યુ વરિયા પ્રજાપતિ નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ થાનગઢના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ સામે ન્યુ વરિયા પ્રજાપત નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા જીતેશભાઈ પ્રભુભાઈ સીતાપરાની 16 વર્ષની દીકરી સંજનાબેન સીતાપરાએ કોઈપણ કારણોસર કારખાનાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી 108 મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ આર.આર.મિયાત્રા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતી કે, મૃતક સગીરાને આંચકીની બીમારી હતી. તેવુ તેના પરિવારની પૂછપરછમાં સામે આવ્યું છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર (27) નામનો યુવાન કોઈ કારણોસર ઈંટોનો ભઠ્ઠા પાસે ટાઇલ્સ ક્લીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ સોનલ સોસાયટીમાં રહેતા શાંતુબાઈ અમરસિંહ લાંબા (70) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રફાળેશ્વર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News