મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થયું હતું જેથી તે યુવાન નીચે પટકયો હતો અને તેને માથા અને શરીરે ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ઉર્મિલાબેન રાજકુમાર વર્મા (39)ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક પતિ રાજકુમાર રામપ્રસાદ વર્મા (43)ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે અને તે ફરિયાદીમાં મહિલાએ જણાવ્યું છે કે મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી તેઓના પતિ બાઈક નંબર જીજે 10 ડીએલ 0867 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેઓ રસ્તા ઉપર નીચે પડતા તેને માથામાં અને શરીરે ગંભીર જાઓ થતા સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃત્યુ પામેલા યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

યુવાનને મારમાર્યો

મોરબી તાલુકાના પીપળી ગામે આવે શાંતિનગર વિસ્તારમાં હિંમતભાઈ વાઘજીભાઈ જાદવ (45) નામના યુવાનને કોઈએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી લેતા સારવાર

મોરબી તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં રહેતા કનુભાઈ અલાવાની 17 વર્ષની દીકરી પિન્કીબેને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News