મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે એસિડ પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE













મોરબીના દલવાડી સર્કલ પાસે એસિડ પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્ક પાસે રહેતા યુવાને દલવાડી સર્કલ પાસે એસિડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડની પાછળના ભાગમાં તુલસી પાર્ક પાસે રહેતા યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા (43) નામના યુવાને દલવાડી સર્કલ નજીક કોઈપણ કારણોસર એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીને સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ તુલસી ટ્વિન્સના ફ્લેટમાં રહેતા વનિતાબેન ઈશ્વરભાઈ કડીવાર (62) નામના વૃદ્ધા બાઈક પર બેસીને છાત્રાલય રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવાર

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રહેતા હરજીવનભાઈ દેવજીભાઈ કારોલીયા (71) નામના વૃદ્ધ બાઈકમાં બેસીને ધર્મમંગળ રેસિડેન્સી ખાતે ઘુડા રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

માળીયા (મી)ના ભાવપર ગામે રહેતા કરસનભાઈ ગાંડુભાઈ બાવરવા (50) નામના આધેડ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખ સ્વામી સોસાયટી પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.




Latest News