ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો


SHARE







મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો

તાજેતરમાં ભારત સરકાર દ્રારા સુચીત નોટરી એમેન્ડમેન્ટ બીલ-૨૦૨૧ ના અનુસંધાને તે બીલનો વિરોધ નોંધાવવા માટે મોરબી નોટરી એસોસીએશન દ્રારા નોટરીઓના અભીપ્રાયો સુચનો મંગાવવામા આવેલ તેમજ આ સુચીત એમેન્ડમેન્ટ બીલના વિરોધમા મોરબી જીલ્લાના નોટરીઓમા ઘેરા પ્રત્યાઘાતો પડેલા હોય તે બીલનો સખત વિરોધ નોંધાવવા માટે મોરબી જીલ્લાના નોટરીઓ દ્રારા મોરબી નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ અને આ અંગે ઉચ્ચસ્તરીય લડત આપવાનુ પણ આયોજન ક૨વામા આવેલ છે.આ તકે મોરબી નોટરી એસોસીએશનના પ્રમુખ ભાવેશ ડી.ફુલતરીયા, ઉપપ્રમુખ એલ.પી.ચાવડા અને કે.ડી.મુછડીયા તેમજ સેક્રેટરી આર.જી.ભાગીયા તેમજ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા નોટરી બી.કે.ભટ્ટ, નોટરી અશોકભાઈ સરડવા સહિતના નોટરીઓ હાજર રહ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ તાજેતરમાં સરકાર દ્વારા જે નોટરીઓના સંદર્ભમાં જે નવું બીલ લાવવામાં આવી રહ્યુ છે તે અંતર્ગત જે કોઇ વ્યક્તિને નોટરી તરીકે ડિગ્રી ઇસ્યુ કરવામાં આવે તેને પાંચ વર્ષની મર્યાદા માટે ઇસ્યુ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે નોટરીને માત્ર બે વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી તરીકે જાહેર કરાશે તેનો નવા બીલમાં ઉલ્લેખ હોય તે વાતને લઇને વિરોધ નોંધાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. એટલે કે લોકોને ૧૫ વર્ષથી જુના અને અનુભવી નોટરીઓનો લાભ મળશે નહીં તેમજ જે કોઈ વ્યક્તિ નોટરી તરીકે કાર્યરત છે અને જો તે નોટરીના કામની સાથે જો વકીલાત ન કરતા હોય અને તેમનો નોટરી સમય પુરો થાય ત્યારે તેમને વકીલાત શરૂ કરવામી થાય તો તેને લઇને આર્થિક પ્રશ્નો પણ ઊભા થાય તેવા પ્રકારના આ સરકારી બિલમાં સુધારા હોવાના કારણે હાલમાં નોટરીઓ દ્વારા સરકારના નવા આવી રહેલા નોટરી કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.






Latest News