ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો


SHARE







મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો
 

મોરબી એલસીબી સ્ટાફ તેમજ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે વોચ દરમિયાન કચ્છ જીલ્લાના ગાંધીધામમાં આવેલ પડાણા ગામે લેબર કોલોની વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને દબોચી લેવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડીવાએસપી રાધિકા ભરાય તેમજ સીપીઆઇ એમ.આર.ગોઢાણીયા દ્વારા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ ડાભીને સુચના આપવામાં આવેલી હતી જે દરમિયાન ટંકારા પોલીસ તેમજ એલસીબીના સ્ટાફને મળેલી બાતમીને આધારે તેઓએ ગોઠવેલ વોચ દરમ્યાન પડાણા મર્ડર કેશના આરોપીને ટંકારા નજીકથી પકડી પાડવામાં આવેલ છે.

ગાંધીધામ જીલ્લાના પડાણા લેબર કોલોનીમાં હત્યાનો બનાવ ગઈકાલના રોજ બનવા પામેલ અને હત્યાના બનાવને અંજામ આપી હત્યા કરનાર આરોપી નાસી ગયેલ હોય જે અનુસંધાને અત્રના જીલ્લામા ચેકપોસ્ટ તથા નાકા પોઇંટ ઉપર સઘન વાહન ચેકીંગ કરીને હત્યા કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢવા સુચના થઈ હતી જે અનુસંધાને પીએસઆઇ એન.બી.ડાભીને હકિકત મળેલ કે ગાંધીધામ પડાણા ખાતે હત્યાને અંજામ આપી નાસી છુટેલ આરોપી સરકારી એસ.ટી.માં બેસીને નાસી છુટેલ છે તે હકિકત મળતા તેઓએ ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારને વાકેફ કરતા તેઓએ બાતમી અનુસંધાને મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ કાર્યરત હોય જ્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક સરકારી એસ.ટી.બસ ગાંધીધામ-રાજકોટ નીકળતા તેને રોકીને ચેકીંગ કરતા હત્યા કરી નાસી ગયેલ શંકાસ્પદ આરોપી અરવિંદભાઈ કરણભાઈ અઠીયા (ઉ.વ .૨૩) હાલ રહે.પડાણા તા.જી ગાંધીધામ(કચ્છ) મુળ રહે.બોહસસા જી.ધમો એમપી મળી આવતા તેની કડક પુછપરછ કરતા પોતે ગાંધીધામ પડાણા ખાતે લેબર કોલોનીમા એક ઇસમની હત્યા કરીને નાસી છુટેલ હોવાની કબુલાત આપતા તેને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ માટે ગાંધીધામ પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી પીએસઆઇ એન.બી.ડાભી તથા બી.ડી.પરમાર તેમજ પોલીસ સ્ટાફના વિજયભાઈ બાર, જયદેવસિહ ઝાલા, રાજેશભાઈ ડાંગર, સતિષભાઈ બસીયા તથા મોરબી જીલ્લા એલસીબી ટીમ અને ટંકારા પોલીસ ટીમે સંયુક્તપણે કામગીરી કરી હતી.






Latest News