મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો


SHARE















મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો
 

મોરબી એલસીબી સ્ટાફ તેમજ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે વોચ દરમિયાન કચ્છ જીલ્લાના ગાંધીધામમાં આવેલ પડાણા ગામે લેબર કોલોની વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને દબોચી લેવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડીવાએસપી રાધિકા ભરાય તેમજ સીપીઆઇ એમ.આર.ગોઢાણીયા દ્વારા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ ડાભીને સુચના આપવામાં આવેલી હતી જે દરમિયાન ટંકારા પોલીસ તેમજ એલસીબીના સ્ટાફને મળેલી બાતમીને આધારે તેઓએ ગોઠવેલ વોચ દરમ્યાન પડાણા મર્ડર કેશના આરોપીને ટંકારા નજીકથી પકડી પાડવામાં આવેલ છે.

ગાંધીધામ જીલ્લાના પડાણા લેબર કોલોનીમાં હત્યાનો બનાવ ગઈકાલના રોજ બનવા પામેલ અને હત્યાના બનાવને અંજામ આપી હત્યા કરનાર આરોપી નાસી ગયેલ હોય જે અનુસંધાને અત્રના જીલ્લામા ચેકપોસ્ટ તથા નાકા પોઇંટ ઉપર સઘન વાહન ચેકીંગ કરીને હત્યા કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢવા સુચના થઈ હતી જે અનુસંધાને પીએસઆઇ એન.બી.ડાભીને હકિકત મળેલ કે ગાંધીધામ પડાણા ખાતે હત્યાને અંજામ આપી નાસી છુટેલ આરોપી સરકારી એસ.ટી.માં બેસીને નાસી છુટેલ છે તે હકિકત મળતા તેઓએ ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારને વાકેફ કરતા તેઓએ બાતમી અનુસંધાને મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ કાર્યરત હોય જ્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક સરકારી એસ.ટી.બસ ગાંધીધામ-રાજકોટ નીકળતા તેને રોકીને ચેકીંગ કરતા હત્યા કરી નાસી ગયેલ શંકાસ્પદ આરોપી અરવિંદભાઈ કરણભાઈ અઠીયા (ઉ.વ .૨૩) હાલ રહે.પડાણા તા.જી ગાંધીધામ(કચ્છ) મુળ રહે.બોહસસા જી.ધમો એમપી મળી આવતા તેની કડક પુછપરછ કરતા પોતે ગાંધીધામ પડાણા ખાતે લેબર કોલોનીમા એક ઇસમની હત્યા કરીને નાસી છુટેલ હોવાની કબુલાત આપતા તેને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ માટે ગાંધીધામ પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી પીએસઆઇ એન.બી.ડાભી તથા બી.ડી.પરમાર તેમજ પોલીસ સ્ટાફના વિજયભાઈ બાર, જયદેવસિહ ઝાલા, રાજેશભાઈ ડાંગર, સતિષભાઈ બસીયા તથા મોરબી જીલ્લા એલસીબી ટીમ અને ટંકારા પોલીસ ટીમે સંયુક્તપણે કામગીરી કરી હતી.






Latest News