તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાશે: સમાજના સ્નેહમિલન સાથે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કરશે સન્માન


SHARE











મોરબીમાં ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાશે: સમાજના સ્નેહમિલન સાથે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કરશે સન્માન

મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે, આ ધામ દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા જનસેવા કરવામાં આવે છે, ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ આગામી 5 મી નવેમ્બરના રોજ યોજાશે જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી હવન જપ તપ યજ્ઞ, બપોરે 2 વાગ્યે આનંદનો ગરબો,સાંજે 5  વાગ્યે સ્નેહમિલન યોજાશે જેમાં ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પોને લોકો સમક્ષ મૂકવામાં આવશે, સમાજ શ્રેષ્ઠીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે.

તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ,કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાશે, ઉમા સંસ્કાર ધામ દ્વારા થતા વિવિધ સેવાકીય પ્રકલ્પોની વિગતો, સામાજિક ઉત્થાન માટેના લેખો,પ્રેરક પ્રસંગો, વિશિષ્ટ પ્રતિભા,પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓનો પરિચય વગેરે લેખો સાથેનો "ઉમા સંસ્કાર દર્શન" ત્રિમાસિક અંક બહાર પાડવાનો હોય અંકની પ્રતનું મહાનુભાવો કર કમલોથી વિમોચન કરવામાં આવશે, સ્નેહમિલન સમારોહ બાદ સમૂહ ભોજન મહાપ્રસાદ લેવામાં આવશે અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી,ઉપ પ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ઉમા સંસ્કાર ધામના ચેરમેન એ.કે.પટેલ તેમજ તમામ ટ્રષ્ટિ દ્વારા મોરબી જિલ્લાના તમામ કડવા પાટીદાર પરિવારોને સમાજ શ્રેષ્ઠીઓને, રાજસ્વી હસ્તીઓને વગેરેને મહાપ્રસાદ તેમજ અન્ય તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં  આવેલ છે.






Latest News