મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ


SHARE













મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

 

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ ચંદ્રકુમાર ચૌધરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ બાઈક પર કારખાનેથી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અજાણ્યું વાહન ઠોકરે લઈ ફરાર થઈ ગયું કે પછી બાઈક સ્લીપ થયું? તે અંગે પોલીસ તપાસ કરશે.

મળતી માહિતી મુજબ, ચંદ્રકુમાર મદનલાલ ચૌધરી (ઉંમર વર્ષ 40, રહે.ચોરડી ગામ, જિલ્લો મોરબી) ગત તા.28ના રાત્રે 9:30 વાગ્યાં આસપાસ પોતે નજર બાગ રેલવે સ્ટેશન પાસે રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ. તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવેલ. અહીં તા.30 ના રોજ રાત્રે તેનું મોત નીપજ્યું હતું.પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક ચંદ્રકુમાર કારખાનમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા, નોકરી પતાવી બાઈક ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. તેઓ મૂળ બિહારના વતની હતા. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે, તેઓ પોતે 2 ભાઈ 2 બહેનમાં મોટા હતા. બનાવ બાઈક સ્લીપ થવાનો છે કે, કોઈ અજાણ્યા વાહનની ઠોકરે અકસ્માત થયો છે? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે




Latest News