મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં વૃદ્ધાનું મોત


SHARE













વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં વૃદ્ધાનું મોત

વાંકાનેરમાં આવેલ મંત્રી સોસાયટી ધર્મનગરમાં રહેતા વૃદ્ધા નેશનલ હાઇવે રોડ ઉપર આસ્થાગ્રીન સોસાયટી સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધાને માથામાં અને શરીરે ગંભી ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ મંત્રી સોસાયટી ધર્મનગરમાં રહેતા કાનાભાઈ ઠાકરશીભાઈ સોળમીયા (45)એ કાર નંબર જીજે 27 કે 5232 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓના માતા મધુબેન ઠાકરશીભાઈ સોળમીયા (60) ફરિયાદીના થાનમાં રહેતા મામાના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ આસ્થાગ્રીન સોસાયટી સામેથી તેઓ પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના માતાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તથા જમણા પગે પણ ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News