મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે


SHARE













હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે

હળવદ તાલુકામાંથી પસાર થતાં વાહનોમાંથી જુદાજુદા મુદામાલની ચોરી કરવામાં આવતી હોવાનું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં હળવદ તાલુકાનાં કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડના સળીયા જુદાજુદા ટ્રકમાંથી કાઢીને ચોરી કરવામાં આવી હોવાની શંકાને આધારે પોલીસે હાલમાં લોખંડના સળીયા ૧૮૩૫ કિલો જેની કિંમત ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે કરીને લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સદંતર બંધ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા પીઆઇને સુચના આપવામાં આવી હતી જેથી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેઓની ટિમ જુદીજુદી દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં હળવદના કવાડીયા ગામની સીમમાં બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે ગેરકાયદે ટ્રકમાંથી લોખંડના સળીયા ઉતારી લોખંડ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી લોખંડના સળીયા ૧૮૩૫ કિલો જેની કિંમત ૯૧૭૫૦ નો મુદામાલ બીનવારસી હાલતમાં ઝડપી લીધેલ છે અને શકદાર તરીકે સતિષ દેવાભાઇ ભરવાડ રહે. ચુલી તાલુકો ધાંગધ્રા વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અજીતસિંહ નટુભા, ગભરૂભાઇ હનુભાઇ, દિનેશભાઇ હનાભાઇ, વનરાજસિંહ માવુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયભાઇ મનજીભાઇ, સાગરભાઈ ડાયાભાઈ, યુવરાજસિંહ નીરુભા દ્વારા કરવામાં આવી હતી.




Latest News