માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી-ઝઘડો: પડોશીએ ભાઈ-બહેનને માર માર્યો


SHARE















મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી-ઝઘડો: પડોશીએ ભાઈ-બહેનને માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતી મહિલા સાથે પાડોશમાં રહેતા મહિલાઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ તે મહિલાની નણંદને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારીને મુંઢ ઇજા કરી હતી તેમજ તે મહિલાના પતિને લોખંડનો પાઈપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિગુરુ પ્લાઝાની બાજુમાં રોયલ પાર્ક શેરી નં-2 માં રહેતા ડેનિશભાઈ વિઠ્ઠલભાઈ ભલાણી (30)એ રસીલાબેન અને તેના પિતાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, તેઓના પત્ની સાથે પાડોશી રસીલાબેને ઘરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારે રસીલાબેને ફરિયાદીની બહેનને ગાળો આપીને બોલાચાલી કરીને માર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ રસીલાબેનના પિતાએ લોખંડનો પાઈપ લઈ આવીને ફરિયાદીને મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા મધુબેન લાલજીભાઈ સાણજા (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નવીનભાઈ પરમાર (40) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News