મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા


SHARE













મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષનું સભ્યોનું સ્નેહમિલન, મોરબીના પત્રકારનું સન્માન અને વર્ષ 2025 26  માટે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને બહેનો દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીને તેઓએ બિરદાવી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 2025-26 માં પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનીષાબેન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સાધનાબેન ઘોડાસરા, પુનમબેન હિરાણી, કામિનીબેન તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈએ શપથ લીધા હતા. અને ક્લબના ફાઉન્ડર એવા શોભનાવા ઝાલાએ સૌને તન- મન -ધનથી સમર્પિત થઈને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી શહેરની જનતાને ઉપયોગી થાય તેવા સેવાકીય કાર્યો તેમજ મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવાના શપથ લેવડાવ્યા હતા. ત્યારે બાદ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ડો.સુષ્માબેન દુધરેજીયાને પ્રેસિડેન્ટ તરીકેની પિન પહેરાવીને નવા વર્ષની જવાબદારી હોશ પૂર્વક સોંપી હતી.

આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને બહેનો દ્વારા જે સેવાકીય કામો મોરબીમાં કરવામાં આવી રહ્યા છે તેને બિરદાવીને તેઓની કામગીરી હજુ પણ વધુ સારી અને લોક ઉપયોગી બને તેની શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદ વર્ષ 2017 થી આ સંસ્થાની કામગીરીને વધુમાં વધુ લોકો સુધી પહોચાડીને બહેનોને પ્રોત્સાહિત કરતાં મોરબીના પત્રકારોનું સંસ્થાના હોદેદારો દ્વારા શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજામ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જે.પી. જેસવાણી, મોરબી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.પ્રદીપ દુધરેજીયા, જગદીશભાઈ ઘોડાસરા, પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન દેસાઈ તેમજ નયનાબેન બારાએ કર્યું હતું.




Latest News