માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા


SHARE















મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષનું સભ્યોનું સ્નેહમિલન, મોરબીના પત્રકારનું સન્માન અને વર્ષ 2025 26  માટે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને બહેનો દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીને તેઓએ બિરદાવી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 2025-26 માં પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનીષાબેન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સાધનાબેન ઘોડાસરા, પુનમબેન હિરાણી, કામિનીબેન તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈએ શપથ લીધા હતા. અને ક્લબના ફાઉન્ડર એવા શોભનાવા ઝાલાએ સૌને તન- મન -ધનથી સમર્પિત થઈને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી શહેરની જનતાને ઉપયોગી થાય તેવા સેવાકીય કાર્યો તેમજ મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવાના શપથ લેવડાવ્યા હતા. ત્યારે બાદ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ડો.સુષ્માબેન દુધરેજીયાને પ્રેસિડેન્ટ તરીકેની પિન પહેરાવીને નવા વર્ષની જવાબદારી હોશ પૂર્વક સોંપી હતી.

આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને બહેનો દ્વારા જે સેવાકીય કામો મોરબીમાં કરવામાં આવી રહ્યા છે તેને બિરદાવીને તેઓની કામગીરી હજુ પણ વધુ સારી અને લોક ઉપયોગી બને તેની શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદ વર્ષ 2017 થી આ સંસ્થાની કામગીરીને વધુમાં વધુ લોકો સુધી પહોચાડીને બહેનોને પ્રોત્સાહિત કરતાં મોરબીના પત્રકારોનું સંસ્થાના હોદેદારો દ્વારા શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજામ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જે.પી. જેસવાણી, મોરબી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.પ્રદીપ દુધરેજીયા, જગદીશભાઈ ઘોડાસરા, પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન દેસાઈ તેમજ નયનાબેન બારાએ કર્યું હતું.






Latest News