મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના ગારીડા ગામે દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબી : વાંકાનેરના ગારીડા ગામે દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ગારીડા ગામે રહેતા પરિવારની સગીર વયની યુવતી તેના ઘરે કોઈ કારણોસર દવા પી ગઈ હતી અને છેલ્લા પખવાડિયાથી મોરબીમાં સારવાર હેઠળ હતી જેનું સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરના ગારીડા ગામે રહેતા પરિવારની માનસીબેન દેવરાજભાઈ ધોળકિયા નામની ૧૭ વર્ષની સગીરા ગત તા.૩૦-૧૦ ના સાંજના ૬:૩૦ વાગ્યાના અરસામાં તેના ઘરે દવા પી ગઈ હતી.જેથી કરીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં છેલ્લા પખવાડિયાથી વધુ સમય માટે તે સારવાર હેઠળ હતી.દરમિયાનમાં ગઈકાલ તા.૧૭-૧૧ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેણીનું મોત નિપજયુ હતું.બનાવની એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
મારામારીમાં ઇજા

મોરબીના નાની વાવડી ગામે ખોડીયાર મંદિર નજીક ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતા પ્રતિક ભરતભાઈ પિત્રોડા (૨૯) રહે.રવિ પાર્ક વાવડી રોડને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર-પાવળીયારી રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં જીતેન્દ્ર રામકુમાર યાદવ નામના ૨૫ વર્ષીય યુવાનને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે ઊંચી માંડલ સેવીસ સીરામીક પાસે થયેલ મારામારીના બનવામાં સપનાબેન રાહુલભાઈ પાંડે (૨૬) નામની મહિનાને ઈજાઓ થયેલ હોય તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં

મોરબીના ટંકારા પાસેની લજાઇ ચોકડીએ વડવાળા હોટલ પાસે સાપ કરડી જતા લાલાભાઇ કરમણભાઇ મુંધવા (૨૨) રહે.લાલપરને સારવાર માટે મોરબી લાવવામા આવ્યો હતો.જ્યારે માળિયા(મિ.) વાંઢ વિસ્તારમાં રહેતા હસીનાબેન અલીમામદભાઈ કટિયા નામના ૬૦ વર્ષના વૃદ્ધા પગપાળા જતા હતા ત્યારે કોઈ બાઈક ચાલકે તેમને હડફેટે લેતા સારવાર માટે મોરબી લવાયા હતા.તેમજ કચ્છના રાપર પાસેના ભીમદેવકા ગામે બાઈક અકસ્માતમાં ઇજા પામેલા જકશીભાઈ મોહનભાઈ કોળી નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી લવાયો હતો.તેમજ હળવદના ભલગામડા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતા સમયે બાઇક હડફેટે ઇજા પામેલા જયપાલ ભગવાનભાઈ ઉઘરેજા નામના છ વર્ષના બાળકને અત્રે સારવાર માટે લવાયો હતો અને ધાંગધ્રા-હળવદ રોડ ઉપર કાર ઉપર કાબુ ન રહેતા સર્જાયેલા અકસ્માત બનાવમાં ઇજા પામેલ મયુરભાઇ ભાનુશંકર જોશી (૩૫) રહે.મુંબઈ તથા જયેશભાઇ શાંતિલાલ રાવલ (૩૨) રહે.સામખીયાળી જી.કચ્છને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ સ્થાનિક પોલીસ દ્વારા જણાવાયેલ છે

 




Latest News