મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના ગારીડા ગામે દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબી : વાંકાનેરના ગારીડા ગામે દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ગારીડા ગામે રહેતા પરિવારની સગીર વયની યુવતી તેના ઘરે કોઈ કારણોસર દવા પી ગઈ હતી અને છેલ્લા પખવાડિયાથી મોરબીમાં સારવાર હેઠળ હતી જેનું સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરના ગારીડા ગામે રહેતા પરિવારની માનસીબેન દેવરાજભાઈ ધોળકિયા નામની ૧૭ વર્ષની સગીરા ગત તા.૩૦-૧૦ ના સાંજના ૬:૩૦ વાગ્યાના અરસામાં તેના ઘરે દવા પી ગઈ હતી.જેથી કરીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં છેલ્લા પખવાડિયાથી વધુ સમય માટે તે સારવાર હેઠળ હતી.દરમિયાનમાં ગઈકાલ તા.૧૭-૧૧ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેણીનું મોત નિપજયુ હતું.બનાવની એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
મારામારીમાં ઇજા

મોરબીના નાની વાવડી ગામે ખોડીયાર મંદિર નજીક ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતા પ્રતિક ભરતભાઈ પિત્રોડા (૨૯) રહે.રવિ પાર્ક વાવડી રોડને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર-પાવળીયારી રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં જીતેન્દ્ર રામકુમાર યાદવ નામના ૨૫ વર્ષીય યુવાનને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે ઊંચી માંડલ સેવીસ સીરામીક પાસે થયેલ મારામારીના બનવામાં સપનાબેન રાહુલભાઈ પાંડે (૨૬) નામની મહિનાને ઈજાઓ થયેલ હોય તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં

મોરબીના ટંકારા પાસેની લજાઇ ચોકડીએ વડવાળા હોટલ પાસે સાપ કરડી જતા લાલાભાઇ કરમણભાઇ મુંધવા (૨૨) રહે.લાલપરને સારવાર માટે મોરબી લાવવામા આવ્યો હતો.જ્યારે માળિયા(મિ.) વાંઢ વિસ્તારમાં રહેતા હસીનાબેન અલીમામદભાઈ કટિયા નામના ૬૦ વર્ષના વૃદ્ધા પગપાળા જતા હતા ત્યારે કોઈ બાઈક ચાલકે તેમને હડફેટે લેતા સારવાર માટે મોરબી લવાયા હતા.તેમજ કચ્છના રાપર પાસેના ભીમદેવકા ગામે બાઈક અકસ્માતમાં ઇજા પામેલા જકશીભાઈ મોહનભાઈ કોળી નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી લવાયો હતો.તેમજ હળવદના ભલગામડા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતા સમયે બાઇક હડફેટે ઇજા પામેલા જયપાલ ભગવાનભાઈ ઉઘરેજા નામના છ વર્ષના બાળકને અત્રે સારવાર માટે લવાયો હતો અને ધાંગધ્રા-હળવદ રોડ ઉપર કાર ઉપર કાબુ ન રહેતા સર્જાયેલા અકસ્માત બનાવમાં ઇજા પામેલ મયુરભાઇ ભાનુશંકર જોશી (૩૫) રહે.મુંબઈ તથા જયેશભાઇ શાંતિલાલ રાવલ (૩૨) રહે.સામખીયાળી જી.કચ્છને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ સ્થાનિક પોલીસ દ્વારા જણાવાયેલ છે

 






Latest News