તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી


SHARE











મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી

મોરબી સહિત ગુજરાતમાં ચકચારી બની ગયેલ વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીઓમાંથી ચાર આરોપીઓએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને હાઈકોર્ટે એક મહિલા સહિત ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જો કે, એક આરોપીએ હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.

મોરબીમાં રહેતા ભીમજીભાઇ નકુમએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વજેપર 602 જમીન કૌભાંડની ફરિયાદ કરી હતી.જેમાં તેના પિતાના નામની જમીનને બોગસ વારસાઈ આંબાના આધારે અજાણી મહિલાને વારસદાર બનાવવામાં આવી હતી અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ 6 આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જે પૈકી શાંતાબેન પરમારના પહેલા હાઇકોર્ટમાંથી જમીન મંજૂર થયા હતા

ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલ હેતલબેન ભોરણિયા, ભરત દેગામા, સાગર સાવધાર અને અતુલ જોશીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવવા માટે તેઓના વકીલ મારફતે અરજી કરી હતી.જેમાં આરોપીઓના વકીલે કરેલી દલીલ અને જુદી-જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી હેતલબેન ભોરણિયા, ભરત દેગામા અને સાગર સાવધારના શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે જો કે, આ ગુનામાં પકડાયેલ અતુલ જોશીએ જામીન માટે હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.તેવી માહિતી વકીલ પાસેથી જાણવા મળેલ છે.

આ કેસમાં  આરોપી હેતલબેન ભોરણીયાના વકીલ તરીકે મોરબીના સિનિયર વકીલ દિલીપભાઈ અગેચણીયા, હરિસિંહ સોઢા, જીતેન ડી.અગેચણીયા, કુલદીપ જિંજવાડીયા, રવી ચાવડા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.જયારે આરોપી ભરત પોલજીભાઈ દેગામાના વકીલ તરીકે હરીસીંહ વી.સોઢા, જે.ડી.સોલંકી, કલ્પેશ ડી.સંખેસરીયા, જયેશ પટેલ. મયુર ડી.ઉભડીયા, પી.ડી.પરમાર, એન.પી.ચાવડા, જે.એસ.વાઢેર, એચ.એલ.ચાવડા, દીપક મકવાણા, વિરેન્દ્રસિંહ રાઠોડ, વી.બી.છનીયારા, એ.એસ.અમૃતીયા, હીના સાગઢીયા રોકાયેલ હતા.






Latest News