મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી


SHARE









મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી

મોરબી સહિત ગુજરાતમાં ચકચારી બની ગયેલ વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીઓમાંથી ચાર આરોપીઓએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને હાઈકોર્ટે એક મહિલા સહિત ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જો કે, એક આરોપીએ હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.

મોરબીમાં રહેતા ભીમજીભાઇ નકુમએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વજેપર 602 જમીન કૌભાંડની ફરિયાદ કરી હતી.જેમાં તેના પિતાના નામની જમીનને બોગસ વારસાઈ આંબાના આધારે અજાણી મહિલાને વારસદાર બનાવવામાં આવી હતી અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ 6 આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જે પૈકી શાંતાબેન પરમારના પહેલા હાઇકોર્ટમાંથી જમીન મંજૂર થયા હતા

ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલ હેતલબેન ભોરણિયા, ભરત દેગામા, સાગર સાવધાર અને અતુલ જોશીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવવા માટે તેઓના વકીલ મારફતે અરજી કરી હતી.જેમાં આરોપીઓના વકીલે કરેલી દલીલ અને જુદી-જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી હેતલબેન ભોરણિયા, ભરત દેગામા અને સાગર સાવધારના શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે જો કે, આ ગુનામાં પકડાયેલ અતુલ જોશીએ જામીન માટે હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.તેવી માહિતી વકીલ પાસેથી જાણવા મળેલ છે.

આ કેસમાં  આરોપી હેતલબેન ભોરણીયાના વકીલ તરીકે મોરબીના સિનિયર વકીલ દિલીપભાઈ અગેચણીયા, હરિસિંહ સોઢા, જીતેન ડી.અગેચણીયા, કુલદીપ જિંજવાડીયા, રવી ચાવડા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.જયારે આરોપી ભરત પોલજીભાઈ દેગામાના વકીલ તરીકે હરીસીંહ વી.સોઢા, જે.ડી.સોલંકી, કલ્પેશ ડી.સંખેસરીયા, જયેશ પટેલ. મયુર ડી.ઉભડીયા, પી.ડી.પરમાર, એન.પી.ચાવડા, જે.એસ.વાઢેર, એચ.એલ.ચાવડા, દીપક મકવાણા, વિરેન્દ્રસિંહ રાઠોડ, વી.બી.છનીયારા, એ.એસ.અમૃતીયા, હીના સાગઢીયા રોકાયેલ હતા.






Latest News