મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ


SHARE













વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ

દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આજે ધારાસભ્યની આગેવાની હેઠળ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં એકતા યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા હતા.

દેશભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આજે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, માજી ધારાસભ્ય વર્ષબેન દોશી, વાંકાનેરના પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા વાંકાનેર નજીક આવેલ કિરણ સિરામિક ખાતેથી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ટાઉન હૉલ ખાતે એકતા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખશ્રી ડિમ્પલબેન સોલંકી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી ડો.વિપુલ સાકરીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, મામલતદાર કે.વી. સાનિયા, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી, ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં અગ્રણીઓ, પદાધિકારીઓ/અધિકારીઓ તથા નાગરિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News