મોરબી-માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ દ્રારા સમુહ લગ્નનું આયોજન
મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે કાલે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે કાલે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે
26 નવેમ્બર ભારતનો બંધારણ દિવસ છે. જેથી કરીને કાલે મોરબીમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે અને ખાસ કરીને દેશનું બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે. ત્યારે તેના રક્ષણ માટે મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને લઈ સંવિધાન બચાવો દિવસના ભાગરૂપે મોરબીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 29 ના રોજ સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, અને ત્યારબાદ બંધારણના આમુખનું વાંચન થશે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખો તથા ફ્રન્ટલ સેલના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.