પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે કાલે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે


SHARE















મોરબીમાં સંવિધાન બચાવો દિવસ નિમિતે કાલે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાશે

26 નવેમ્બર ભારતનો બંધારણ દિવસ છે. જેથી કરીને કાલે મોરબીમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે અને ખાસ કરીને દેશનું બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે. ત્યારે તેના રક્ષણ માટે મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને લઈ સંવિધાન બચાવો દિવસના ભાગરૂપે મોરબીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 29 ના રોજ સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, અને ત્યારબાદ બંધારણના આમુખનું વાંચન થશે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખો તથા ફ્રન્ટલ સેલના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.






Latest News