મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના જોગડ ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE











હળવદના જોગડ ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદના જોગડ ગામે રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના જોગડ ગામે રહેતા જયદીપભાઇ ઉર્ફે જાદુ રાયધનભાઈ ઝંઝવાડીયા (27)ને છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારી હોય બીમારીથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતા રાયધનભાઈ માવજીભાઈ ઝંઝવાડીયા (55)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે રહેતો અનુજ રામદાસ યાદવ (23) નામનો યુવાન રંગપર બેલા રોડ ઉપર વેન્ટો સિરામિક કારખાના પાસેથી સ્કૂટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો તો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

વીંછી કરડી જતાં સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા પૃથ્વી ચરણભાઈ રાજપુત (40) નામના યુવાનને વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા તૈલી અશરફ હસુનભાઈ (31) નામનો યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News