મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ફ્લોરા ટાઉનશીપમાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડ રાજકોટ સારવારમાં


SHARE







મોરબીની ફ્લોરા ટાઉનશીપમાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડ રાજકોટ સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરા ટાઉનશીપ ખાતે કલર કામ કરતા સમયે આધેડ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 મારફતે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવે છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ઉદયવીર મોહરસિંહ રાજાનરેલ (51) નામના આધેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ડી-માર્ટની નજીક આવેલ ફલોરા ટાઉનશિપમાં કલર કામ કરી રહ્યા હતા દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેઓને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને 108 મારફતે સારવાર માટે મોરબી અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ હરિ ઓમ પાર્કમાં રહેતા હિતેશભાઈ ઓધવજીભાઈ કાવર નામના વ્યક્તિ મોરબીના મહેન્દ્રનગર પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળકી સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે મંદિરની બાજુમાં રહેતા જગદીશભાઈ વાઘેલાની ત્રણ વર્ષની દીકરી તુલસી રિક્ષામાં જઈ રહી હતી દરમિયાન કોઈ કારણસર તે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ નજીક રિક્ષામાંથી પડી ગઈ હતી જેથી તેને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News