મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ


SHARE







મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા સોસાયટીસ પાસેથી પસાર થતા રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે કારણ કે તે સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરમાં ચોમાસા સમયથી વરસાદી પાણી ભરાયેલ છે તે વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે જો તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્થાનિક લોકોની ગટર ઉભરાવાની જે  સમસ્યા છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે જેથી લોકો વિરોધ કરી રહ્યા છે.

મોરબીના નાની વાવડી ગામ નજીક સુમતીનાથ સોસાયટી આવેલ છે ત્યાં મહિલાઓ સહિતના લોકો દ્વારા હાલમાં રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને વાવડી ગામથી લઈને વાવડી ચોકડી સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી રહી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સુમતિનાથ સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરની અંદર ચોમાસા દરમિયાન પડેલ વરસાદનું પાણી ભરાયેલ છે જેનો નિકાલ થતો નથી અને હાલમાં તે પાણીનો સુમતીનાથ સોસાયટીની ગટરમાં નિકાલ કરવા માટેની જેસીબીની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જો, આ પાણીનો ગટરમાં નિકાલ કરવામાં આવે તો સુમતીનાથ સોસાયટીના લોકોની સમસ્યામાં વધારો થાય તેમ છે જેથી લોકો કામનો વિરોધ કરી રહ્યા છે વધુમાં લોકોએ કહ્યું છે કે આજની તારીખે પણ તેઓના વિસ્તારમાં ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓ છે અને જો વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરશે તો સમસ્યામાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને આ વરસાદી પાણીનો નિકાલ ગટરમાં ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News