મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ


SHARE









મોરબીની સુમતીનાથ સોસાયટી સામે ભરાયેલ વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટેની હિલચાલ કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા સોસાયટીસ પાસેથી પસાર થતા રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે કારણ કે તે સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરમાં ચોમાસા સમયથી વરસાદી પાણી ભરાયેલ છે તે વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે જો તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તો સ્થાનિક લોકોની ગટર ઉભરાવાની જે  સમસ્યા છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે જેથી લોકો વિરોધ કરી રહ્યા છે.

મોરબીના નાની વાવડી ગામ નજીક સુમતીનાથ સોસાયટી આવેલ છે ત્યાં મહિલાઓ સહિતના લોકો દ્વારા હાલમાં રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને વાવડી ગામથી લઈને વાવડી ચોકડી સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી રહી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સુમતિનાથ સોસાયટીની સામેના ભાગમાં આવેલ ખેતરની અંદર ચોમાસા દરમિયાન પડેલ વરસાદનું પાણી ભરાયેલ છે જેનો નિકાલ થતો નથી અને હાલમાં તે પાણીનો સુમતીનાથ સોસાયટીની ગટરમાં નિકાલ કરવા માટેની જેસીબીની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જો, આ પાણીનો ગટરમાં નિકાલ કરવામાં આવે તો સુમતીનાથ સોસાયટીના લોકોની સમસ્યામાં વધારો થાય તેમ છે જેથી લોકો કામનો વિરોધ કરી રહ્યા છે વધુમાં લોકોએ કહ્યું છે કે આજની તારીખે પણ તેઓના વિસ્તારમાં ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓ છે અને જો વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરશે તો સમસ્યામાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને આ વરસાદી પાણીનો નિકાલ ગટરમાં ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News