મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં જેટકોના અધિકારીઓ સામે નોંધાયેલ ફરિયાદને રદ્દ કરવા જીઈબી એન્જિનિયર એસો.ની માંગ


SHARE







માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં જેટકોના અધિકારીઓ સામે નોંધાયેલ ફરિયાદને રદ્દ કરવા જીઈબી એન્જિનિયર એસો.ની માંગ

તાજેતરમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ માં ૧૩૨ કેવી મોટા દહિંસરા લીલો લાઇનના કામ બાબતે જેટકોના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવામાં આવેલ છે તેને રદ કરવા માટે મોરબી જીઈબી એન્જિનિયર એસો. દ્વારા એસપીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત એનર્જી ટ્રાંસમિશન લિમિટેડ (GETCO) કોર્પોરેશનને મળેલ અધિકારની રુએ, જેટકો દ્વારા ૧૩૨ કેવી D/C લીલો મોટા દહિંસરા લાઈનની  કામગીરી જાહેર હીતમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ લાઇન અને ૧૩૨ કેવી મોટા દહિંસરા સબસ્ટેશનની માળખાકીય સુવિધા મળતા, માળીયા તાલુકાના લોકોની સુખાકારીમાં ખુબ જ મોટો વધારો થયો છે. જો કે, હાલમાં જીલ્લામાં સરકારી કર્મચારીઓને માનસિક રીતે હેરાન-પરેશાન કરવા, કારકિર્દિ ખતમ કરવા, જેટકો તથા રાજ્ય સરકારને બદનામ કરવા, ભયનો માહોલ ઉભો કરવા, બ્લેક મઈલ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં બે દિવસ પહેલા જેટકોના અધિકારીઓ ઉપર વર્ષ ૨૦૧૮ માં કરેલ કામગીરીમાં એક વ્યક્તિની કથિત સહી અને બે ભાઇઓ વચ્ચે જમીન વિવાદમાં આશરે એક વરસ પછી જમીન માપણી કરાવીને જેટકોના દરેક પ્રકારના કાગળ જેમાં (લાઇનમાં કંઇ ખોટુ થયેલુ નથી) એવા GETCO દ્વારા લખાયેલા પત્રોને અવગણીને આશરે આઠ વર્ષ પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે જેટકો ઓથોરિટીની પૂર્વ મંજુરી વગર, જેટકો અધિકારીની જાણ બહાર અને પુરતી તપાસ કર્યા વગર ફરિયાદ દાખલ થઇ છે. જેથી કરીને ખોટી રીતે કરવામાં આવેલ એફઆઈઆર તાત્કાલીક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News