મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં સમગ્ર જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે સામાકાંઠે આવેલ ઋષભનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના ચરિત્રો, ગુણો અને મહિમાઓના ગુણાનુવાદ સાથે શાસ્ત્રોનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપ્યું છે.

મોરબીમાં આવેલ ઋષભનગરમાં ચબૂતરા પાસે (ગરબી ચોકમાં)  કથા તા 24/12 થી શરૂ થશે અને તા 31/12 ના રોજ તેનો વિરામ થશે. અને કથાનો સમય દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી રહેશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ કથાના વક્તા તરીકે ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે વ્યાસાસનેથી શ્રોતાઓને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથા દરમિયાન પોથી યાત્રા, ભાગવતજી માહાત્મ્ય, કપિલ પ્રાગટ્ય, નૂર્સિંહ જન્મ, વામન જન્મ, શ્રી રામ જન્મ ,શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ- રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર,પરીક્ષિત મોક્ષ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે અને કથા દરમિયાન કોઈપણ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પિતૃઓનું પૂજન, ભાગવતજી પૂજન તેમજ કથામાં આવતા ઉત્સવોના પ્રસંગોમાં લાભ લેવા ઇચ્છતા યજમાનોએ શાસ્ત્રીજી (8000911444) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કથાનું આયોજઋષભનગર, મહાવીરનગર, નીલકંઠ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, ધર્મ સિદ્ધિ સોસાયટીના તમામ મહિલા મંડળ  દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ કથાનો લાભ લેવા આયોજકોએ ભાવિક ભકતોને આમંત્રણ આપ્યું છે.






Latest News