મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ

મોરબીના વતનીની ગાડી સળગી જતા ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ લી.એ રેપ્યુર્ડ લેટરથી ગ્રાહકને વિમો આપવાની ના પાડતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વિમેદારને રૂા.૧૨.૦૮ લાખ વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ગત તા.૮-૨-૨૪ ના રોજ ભરતભાઈ નાથાભાઇ ડાભીના કર્મચારીની દિકરીને દવાખાને લઈ જતા હતા ત્યારે ફરિયાદી ભરતભાઇની કાર પેટ્રોલ પંપ પાસે એક રીક્ષા સાથે અથડાતા અકસ્માત થયેલ અને કારના આગળના બોનેટમાં નુકશાન થયેલ પરંતુ ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો.જેથી કાર ચલાવીને પેટ્રોલ ૫ં૫ પાસે કાર પાર્ક કરેલ ત્યારે અચાનક બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગેલ અને કારમાં આગ લાગી હતી.જેથી કારને ખૂબજ નુકશાન થયેલ. આથી ફરિયાદીએ કારનો જેમાં વિમો હતો તે ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ લી.ને જાણ કરી અને વિમા કંપની પાસે કારની નુકશાનીની રકમ માંગેલ.તમામ આધાર પુરાવા આપ્યા છતાં વિમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી અયોગ્ય ગણાવી વિમો આપવાની ના પાડી દીધેલ.જેથી ભરતભાઈ ડાભીએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.

અદાલતે વિમા કંપનીને જણાવેલ કે પોલીસીમાં રીટર્ન ટુ ઈનવોઈસનું પ્રીમીયમ ગ્રાહક પાસેથી લીધુ છે.વિમાનું પ્રીમીયમ રેગ્યુલર ભરેલ છે. સુપ્રીમ કોર્ટે જણાવેલ છે કે વીમેદારે કંપનીએ પ્રિમિયમ ભરેલ હોઈ તો વીમો આપવો પડે.વિમા કંપનીની બેદરકારી છે માટે ગ્રાહકને રૂા. ૧૨,૦૮,૫૭૫ તા.૧૯-૧૧-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટેના સમય મર્યાદા (૨ માસ) માં ચુકવે નહીં બાદમાં ૯ ટકા લેખે ચુકવવાના રહેશે તેવો આદેશ કરેલ છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News