મોરબીમાં એક કરોડની કિંમતની સરકારી જમીન ઉપર અસામાજિક તત્વોએ બનાવેલ બે રહેણાંક મકાનને તોડી પાડ્યા
મોરબીની ભારતી વિદ્યાલયમાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ-જાગૃતિ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની ભારતી વિદ્યાલયમાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ-જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર - શાંતિકુંજ દ્વારા સંચાલિત ગાયત્રી ચેતના કેન્દ્ર - મોરબી આયોજિત " વ્યસન મુક્તિ મહા અભિયાન " કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા શૈલેષભાઈ ભટ્ટ (DY.DDO), વાત્સલ્યભાઈ ગડારા અને જીતેન્દ્રભાઈ સાણજા હાજર રહ્યા હતા. જેમાં શૈલેષભાઇ ભટ્ટે દરેક વિધાર્થીઓને વ્યસન મુક્તિ અભિયાન થી વાકેફ કરેલ તેમજ કઈ રીતે વ્યસન મૂકી શકીએ તે બાબતે ચર્ચા કરેલ હતી તેમજ શાળાના દરેક બાળકોને સંકલ્પ પણ લેવડાવેલ કે હું વ્યસન કરીશ નહીં અને બીજાને વ્યસન મુક્ત કરીશ . અંતમાં શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ વ્યસનથી પરિવારને થતી આર્થિક અને લોકોને થતી શારીરિક નુકસાની વિશે માહિતી આપી હતી શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ આવેલ તમામ ગાયત્રી પરિવારના સભ્યોનો આ વ્યસન મુક્તિ અભિયાનની માહિતી આપીને જાગૃતતા ફેલાવવા બદલ આભાર વ્યકત કરેલ હતો.