મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન-રંગોત્સવ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન-રંગોત્સવ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળા સમાજ અને શાળાનો સેતુ રચાય તે હેતુ સાથે પૂર્વ વિદ્યાર્થીનીઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સતવારા સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે શાળાની બાળાઓ દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાથી ભરપૂર સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને તમામ પૂર્વ વિદ્યાર્થીનીઓ સાથે મળી શાળાના સંભારણા, સંસ્મરણો વાગોળ્યા હતા, સમગ્ર કાર્યક્રમમાં સતવારા સમાજવાડીના પ્રમુખ મનસુખભાઈ ડાભી, કેશુભાઈ હડિયલ ખજાનચી તેમજ મંત્રી કાનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક બંધુ/ ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી તેવી માહિતિ શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલા દ્વારા આપવામાં આવી હતી.