મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહીશાળા ગામે ખેતરે યુવાનની છરીના ઘા ઝીકિને કરવામાં આવેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવનકેદની સજા


SHARE







માળીયા (મી)ના રોહીશાળા ગામે ખેતરે યુવાનની છરીના ઘા ઝીકિને કરવામાં આવેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવનકેદની સજા

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં વર્ષ 2023ના 11 માં મહિનામાં યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ખેતરે કામ કરતો મજૂર અને તેની સાથે રહેતી મહિલા ગુમ થઈ ગયા હતા જેથી મૃતક યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા આધાર પુરાવાઓ તથા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મહિલા આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે.

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (37) નામના યુવાનની તા. 30/11/2023 ના રોજ તેના ખેતર પાસે હત્યા કરવામાં આવી હતી અને હત્યાના બનાવ બાદ ખેતરે કામ કરતો શ્રમિક અને તેની સાથે રહેતી મહિલા ત્યાંથી ગુમ થઈ ગયા હતા જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં જે તે સમયે પોલીસે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંહ બધેલ (40) અને રાજબાઈ નરસીગભાઈ વાસ્કલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.

વધુમાં આ બનાવ અંગે મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ કાલરીયાની ખેતીની જમીન આરોપી રાકેશભાઈ બધેલે ભાગમાં વાવવા માટે રાખી હતી અને તેની સાથે રહેતી રાજબાઈના મૃતક ચેનચાળા કરતા હતા અને તેની પાસે બીભત્સ માગણી કરતા હતા જે બાબતની રાજબાઈએ રાકેશભાઈને વાત કરી હતી જેથી બનાવના દિવસે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મૃતક પરેશભાઈને ફોન કરીને ખેતરે ડીઝલ પૂરું થઈ ગયું છે જે આપવા માટે કહ્યું હતું જેથી પરેશભાઈ ત્યાં ડીઝલ આપવા માટે ગયા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવાર સુધી તેઓ ઘરે પરત આવ્યા ન હતા. જેથી તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને શોધખોળ દરમિયાન પરેશભાઈની લાશ તેઓના ખેતરની બાજુમાંથી હત્યા કરેલ હાલતમાં મળી આવી હતી અને ખેતરે કામ કરતા રાકેશભાઈ અને રાજબાઈ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં ગુમ થઈ ગયા હતા 

જેથી રાકેશભાઈ અને રાજબાઈની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જજ એમ.આર. નાદપરા  સાહેબ સમક્ષ ચાલી ગયો હતો તેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રાગેશભાઈ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંહ બધેલ (40) રહે. હાલ રોહીશાળા ગામની સીમા પરેશભાઈ કાલરીયાના ખેતરે મૂળ રહે. એમપી વાળાને આજીવન કેદની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે જોકે મહિલા આરોપી રાજબાઈ નરસીગભાઈ વાસ્કલને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News