માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહીશાળા ગામે ખેતરે યુવાનની છરીના ઘા ઝીકિને કરવામાં આવેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવનકેદની સજા


SHARE













માળીયા (મી)ના રોહીશાળા ગામે ખેતરે યુવાનની છરીના ઘા ઝીકિને કરવામાં આવેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવનકેદની સજા

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં વર્ષ 2023ના 11 માં મહિનામાં યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ખેતરે કામ કરતો મજૂર અને તેની સાથે રહેતી મહિલા ગુમ થઈ ગયા હતા જેથી મૃતક યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા આધાર પુરાવાઓ તથા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મહિલા આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે.

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (37) નામના યુવાનની તા. 30/11/2023 ના રોજ તેના ખેતર પાસે હત્યા કરવામાં આવી હતી અને હત્યાના બનાવ બાદ ખેતરે કામ કરતો શ્રમિક અને તેની સાથે રહેતી મહિલા ત્યાંથી ગુમ થઈ ગયા હતા જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં જે તે સમયે પોલીસે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંહ બધેલ (40) અને રાજબાઈ નરસીગભાઈ વાસ્કલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.

વધુમાં આ બનાવ અંગે મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ કાલરીયાની ખેતીની જમીન આરોપી રાકેશભાઈ બધેલે ભાગમાં વાવવા માટે રાખી હતી અને તેની સાથે રહેતી રાજબાઈના મૃતક ચેનચાળા કરતા હતા અને તેની પાસે બીભત્સ માગણી કરતા હતા જે બાબતની રાજબાઈએ રાકેશભાઈને વાત કરી હતી જેથી બનાવના દિવસે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મૃતક પરેશભાઈને ફોન કરીને ખેતરે ડીઝલ પૂરું થઈ ગયું છે જે આપવા માટે કહ્યું હતું જેથી પરેશભાઈ ત્યાં ડીઝલ આપવા માટે ગયા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવાર સુધી તેઓ ઘરે પરત આવ્યા ન હતા. જેથી તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને શોધખોળ દરમિયાન પરેશભાઈની લાશ તેઓના ખેતરની બાજુમાંથી હત્યા કરેલ હાલતમાં મળી આવી હતી અને ખેતરે કામ કરતા રાકેશભાઈ અને રાજબાઈ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં ગુમ થઈ ગયા હતા 

જેથી રાકેશભાઈ અને રાજબાઈની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જજ એમ.આર. નાદપરા  સાહેબ સમક્ષ ચાલી ગયો હતો તેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રાગેશભાઈ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંહ બધેલ (40) રહે. હાલ રોહીશાળા ગામની સીમા પરેશભાઈ કાલરીયાના ખેતરે મૂળ રહે. એમપી વાળાને આજીવન કેદની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે જોકે મહિલા આરોપી રાજબાઈ નરસીગભાઈ વાસ્કલને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે.








Latest News