મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ, ધારાસભ્ય અને કમિશનરની હાજરીમાં કરાઈ ભવ્ય આતિશબાજી


SHARE







મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ, ધારાસભ્ય અને કમિશનરની હાજરીમાં કરાઈ ભવ્ય આતિશબાજી

મોરબી મહાપાલિકાની રચના કરવામાં આવી તેને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ગઈકાલે આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ટંકારાના ધારાસભ્ય, મોરબીની મહાપાલીકાના કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ, રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને આગામી વર્ષમાં લોકોને સારા ગાર્ડન, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, સારા રોડ રસ્તા સહિતની અનેક સુવિધાનો લાભ મળશે તેવું કમિશનરે જણાવ્યું છે

રાજ્યમાં ગત તા. 1/1/25 પહેલા 8 મહાનગરપાલિકાઓ હતી અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા એકીસાથે નવી 9 નગરપાલિકાઓની રચના કરી હતી જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી મોરબી શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તેમજ ગેરકાયદેસર જે કોઈ બાંધકામો હોય તે તોડવા સહિતની કામગીરી તેઓના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી મહાનગરપાલિકા બની તેને એક વર્ષ પૂર્ણ થતું હોય મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ગઈકાલે આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 

જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના જુદા જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મોરબીના નગરજનો હાજર રહ્યા હતા વધુમાં માહિતી આપતા મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મહાપાલિકાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે 4.50 લાખ રૂપિયાના ખર્ચે 40 મિનિટ સુધી આતિશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં મોરબીના લોકોને સારા ગાર્ડન, સારી લાઇબ્રેરી, સારા રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળે તેના માટેના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.






Latest News