મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન


SHARE













મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા ટાઉનશીપ સામે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુબાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા) તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ શિવ કથા તા.4 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે અને કથાનો સમય સવારે 9 થી બપોરે 12:30 કલાક સુધીનો રહેશે.

કથા પૂર્વે તા.3 જાન્યુઆરીને શનિવારના રોજ બપોરે 3 કલાકે યજમાનના નિવાસસ્થાનેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવશે. કથા દરમિયાન તા.8 ના રોજ રાત્રે 8 થી 12 કલાકે અરૂણોદયનગર, બ્લોક નં.133, મોરબી ખાતે મામાનો માંડવો યોજાશે. તા.12 જાન્યુઆરી સોમવારે કથા વિરામ થશે. અને શિવકથા અંતર્ગત સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા અનેક પાવન પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન થશે. જેના દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને શિવભક્તિનો અદભૂત અનુભવ મળશે. આ સમગ્ર આયોજન અહીંના વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા સર્વે શ્રધાળુઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News