મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના શનાળા રોડ આરાધના સોસાયટીમાં ચોરી કરવા ઇરાદે ઘરમાં ઘસેલા પાડોસી યુવાને વૃદ્ધની હત્યા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા જાતે જૈન વાણીયા (ઉમર ૭૬) તેમના ઘરે એકલા હતા. માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગત ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં નાસ્તો આપવા માટે ગયા હતા ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા ઘરમાંથી મળી આવ્યા હતા અને તેને હોસ્પિટલે ખસેડાયા હતા જો કે, ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા માટે પોલીસે મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદના પાલડી વિસ્તારમાં આમ્રપલી  એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહની ફરિયાદ લઈને આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) સામે ગુનો નોધ્યો હતો અને ફરિયાદીએ જણાવ્યુ હતુ કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘો કણઝારીયા તેના પિતાના ઘરમાં ઘુસ્યો હતો અને તેના પિતાની હત્યા કરી નાખી હતી જેથી પોલીસે આરોપી કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) રહે. શનાળા રોડ આરાધના સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને જે ધોકો મારીને તેને દિનેશભાઇની હત્યા કરી હતી તેને પોલીસે કબજે કરી લીધેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક  દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News