મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીની યદુનંદન ગૌશાળામાં માનવ સેવા સંસ્થાના કાર્યકર્તાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીની યદુનંદન ગૌશાળામાં માનવ સેવા સંસ્થાના કાર્યકર્તાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી સંલગ્ન ડો.હેડગેવાર  જન્મ શતાબ્દી સેવા સમિતી દ્વારા મોરબી જિલ્લાની સેવા સંસ્થાનું સ્નેહમિલન મોરબીના જેલ રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે રાખવામા આવ્યું હતું આ માનવ સેવા સંસ્થાના સ્નેહમિલન કાર્યક્રમમાં મોરબી જિલ્લાની જુદી જુદી ૮૦ સંસ્થાના અગ્રણી  કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે ઉપસ્થિત મહાનુભવનું સ્વાગત તથા પરિચય વિજયભાઈ રાવલ તથા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા દ્વારા કરાવવામાં આવ્યો હતો અને દરેક સંસ્થાના કાર્યકર્તાએ પોતાની સંસ્થાની કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો ત્યારે પ્રાંત સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલએ તમામ સેવા કરતી સંસ્થાના કાર્યકરોને બિરદાવ્યા હતા અને પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆઉપસ્થિત કાર્યકર્તાઓને પોતાનું કાર્ય ખૂબ જ સંવેદનશીલ રીતે કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા અને નિરંતર સમાજ સેવાના કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપેલ હતી આ કાર્યક્ર્મમાં યદુનંદન ગૌશાળાના ડો. કાનજીભાઈ જારીયા પણ હાજર રહ્યા હતા અને જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયાએ આભાર વિધિ કરી હતી




Latest News