વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી
Breaking news
Morbi Today

હળવદમાં ઘરેથી પૈસા ન આપવામાં આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













હળવદમાં ઘરેથી પૈસા ન આપવામાં આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

હળવદની સહજાનંદ સોસાયટીમાં રહેતા યુવાને ઘરેથી પૈસા માંગ્યા હતા જો કે, તેને પૈસા આપવામાં આવ્યા ન હતા. જેથી તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદમાં રાણેકપર રોડ ઉપર આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતા વિવેકભાઈ માખસિંહ બધેલ (22) નામના યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા માખનસિંગ અંગતસિંગ બધેલ (52) રહે. હાલ રાણેકપર રોડ સહજાનંદ સોસાયટી હળવદ વાળાએ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાને ઘરેથી પૈસા માંગ્યા હતા અને પૈસા તેને ન આપતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેણે પોતે પોતાની જાતે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે તેવી વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

કચ્છ જિલ્લાના લાકડીયા ખાતે રહેતા રામા અહેમદભાઈ આદમભાઈ (36) નામનો યુવાન લાકડીયાથી માણાબા વચ્ચેના રસ્તા ઉપરથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા હરિભાઈ મિસરીભાઈ ગોડ (30) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે #morbi 






Latest News