મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી


SHARE













મોરબીનો સાહિલ માજોઠી નામનો યુવાન હાલમાં યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને ત્યાં તેને મળવા માટે તેના દિલ્હીના એડવોકેટ દીપા જોસેફ ગયા હતા ત્યારબાદ તેઓની વચ્ચે જે વાર્તાલાપ થયો હતો અને ઇન્ટરવ્યૂ થયો હતો તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે અને ખાસ કરીને માતા સાથે વ્હોટ્સ એપ કોલમાં વાત કરી હતી જેમાં માતાએ તેના દીકરાને ભારત પરત લાવવા માટે ભારત સરકાર મહેનત કરી રહી છે અને તે ભારત પરત આવશે તવો વિશ્વાસ અપાવ્યો હતો.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયામાં અભ્યાસ કરવા માટે ગયો હતો અને ત્યાં કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો દરમિયાન કુરિયરના પાર્સલની અંદર ડ્રગ્સ ઝડપાયું હતું જે કેસમાં તેને જેલની સજા થઈ હતી જેથી કરીને તે રશિયાની જેલમાં હતો અને ત્યારબાદ રશિયન આર્મી અને પોલીસ દ્વારા તેને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે થઈને મોકલવામાં આવ્યો હતો.

જો કે સાહિલ માજોઠીએ યુદ્ધ કરવાના બદલે 3 ઓક્ટોબર 2025 ના રોજ યુક્રેન ની બોર્ડર ઉપર સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદ તેને યુક્રેનમાં ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે જો કે, તેને પરત લાવવા માટે થઈને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ગુજરાત તેમજ ભારત સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે દરમિયાન સાહિલ માજોઠીના દિલ્હીના વકીલ દીપા જોસેફ હાલમાં યુક્રેન ગયા છે અને ત્યાં તેણે સાહિલ માંજોઠીને જે જગ્યા ઉપર રાખવામાં આવેલ છે તે જગ્યા ની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સાહિલ માજોઠીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જે ઇન્ટરવ્યૂ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.

ખાસ કરીને મોરબીથી રશિયા અને યુક્રેન સુધી કઈ રીતે સાહિલ માજોઠી પહોંચ્યો તે અંગેની વાત ઇન્ટરવ્યૂ દરમિયાન દીપા જોસેફને સાહિલ માજોઠી દ્વારા જણાવવામાં આવી હતી આ ઉપરાંત રશિયાની અંદર યેનકેન પ્રકારે કઈ રીતે બહારથી અભ્યાસ કે રોજગાર માટે આવેલા યુવાનોને ફસાવવામાં આવતા હોય છે તેની વાત તેણે દીપા જોસેફ સાથે  કરી હતી અને ખાસ કરીને સાહિલ માજોઠીએ યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતેથી તેની માતા હસીનાબેન માજોઠી સાથે ફોન ઉપર વ્હોટ્સ એપ કોલ માં વાત કરી હતી અને તેમાં માતા હસીનાબેનને તેને જણાવ્યું હતું કે યુક્રેનથી તેને પરત ભારત લાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેની માહિતી આપી હતી અને સાથોસાથ ભારત સરકાર પણ તેને યુક્રેનથી પરત ભારત લઈને આવશે તેવો વિશ્વાસ માતાએ તેના દીકરા સાહિલ માજોઠીને અપાવ્યો હતો






Latest News