મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી : નકલી રેમડીસીવર ઇન્જેક્શનમાં ઝડપાયેલ છ આરોપીઓના જામીન નામંજૂર


SHARE





મોરબી : નકલી રેમડીસીવર ઇન્જેક્શનમાં ઝડપાયેલ છ આરોપીઓના જામીન નામંજૂર

મોરબીમાંથી પગેરૂ નિકળયા બાદ રાજ્યભરમાંથી નકલી રેમડેસીવીર ઇજકેશનો સાથે ૩૦ જેટલા આરોપીઓ પકડાયા હતા.જે પૈકી છ આરોપીઓએ કોર્ટમાં જામીન મુકત થવા કરેલ અરજી કોર્ટે ફગવી દીધી છે.

કોરોના મહામારીમાં પણ અનૈતિક પૈસો કમાઇ લેવાની લાલચે કોરોનાના દર્દીઓને નકલી રેમડીસીવર ઇન્જેકસનો ધાબડી દેવામાં આવતા હતા જે કૌભાંડમાં મોરબી એસઓજીએ આજે બે મળીને હાલ સુધીમાં કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરેલ છે અને ૩,૫૬૨ જેટલા ડુપ્લીકેટ ઇન્જેકશન, રોકડા રૂ.૧.૪૨ કરોડ મળીને કુલ રૂા.૩.૩૮ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પકડાયેલા પૈકી કુલ છ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધેલ છે.

મોરબી એસઓજીએ મોરબીમાંથી નકલી રેમડેસીવિર ઇજકેશનો સાથે બેને પકડયા હતા બાદમાં રાજ્ય વ્યાપી કૌભાંડ સામે આવતા ૩૩ જેટલા ઇસમોની સંડોવણી સામે આવી હતી જે પૈકી આજે વધુ બે સાથે કુલ ૩૦ ને દૂોચી લેવાયા છે. પકડાયેલા પાંચ આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. તેમજ એક આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આથી આ તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.પોલીસના જણાવ્યા મુજબ મોરબીના રાહુલ અશ્વિનભાઇ કોટેચા રહે.ધુનડા રોડને ત્યાં પોલીસે ડમી ગ્રાહક મોકલતા ૪૧ જેટલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા ૧.૮૦ લાખ સાથે રાહુલને પકડીને તપાસ કરાતા રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડયુ હતુ. કૌભાંડમાં ઝડપાયેલા સૌપ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપીને જામીન નહીં મંજુર કરવા જણાવતા નામદાર અદાલત દ્વારા આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓ પૈકીના રમીઝ સૈયદ હુશેન કાદરી રહે.અમદાવાદ જુહાપુરા, હસન અસલમ સુરતી રહે.સામરોદ તા.ચોર્યાસી જી.સુરત, ફહીમ ઉર્ફે ફઇમ મહમદહારૂનભાઇ મેમણ રહે.અમદાવાદ વેજલપુર, રાજેશભાઇ ધીરૂભાઇ કથીરીયા રહે.નાના વરાછા સુરત, રાહુલ અશ્વિનભાઇ કોટેચા રહે.ઘુનડા રોડ મોરબીએ તથા મનસુર મેહમુદ ચૌહાણ રહે.વેજલપુર અમદાવાદ વાળાઓની જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News