મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબીના એક જાગૃતિ નાગરિક દ્વારા ૧૮૧ પર કોલ કરવામાં આવ્યો હતો કે રંગપર ગામે ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે એક નાની આશરે ત્રણેક વર્ષની બાળકી મળી આવેલ છે અને તે બાળકી રસ્તામાં એકલી બેઠી છે અને કશું બોલતી નથી જેથી કરીને અભયમની ટિમ ત્યાં તાત્કાલિક પહોચી હતી અને બાળકીને વિશ્વાસમાં લઈને તેના પરિવારની માહિતી મેળવી હતી અને તે બાળકીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.

મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ અનીલભાઈ ઘટના સ્થળે ગયા હતા અને બાળકીને નાસ્તો કરાવ્યો હતો ત્યાર બાદ બાળકી સાથે વાતચીત કરી હતી જો કે, બાળકી કશું બોલતી ન હતી. જેથી કરીને બાળકીને સાથે રાખીને આજુબાજુમાં આવેલ કંપનીમાં બાળકીને લઈ ગયા હતા અને જો કે ત્યાં તે બાળકીને કોઈ ઓળખતું ન હતું.

જેથી કંપનીના માલિક સાથે વાતચીત કરીને તે બાળકી અંગેનો સિરામિક એસો.ના ગ્રુપમાં એક મેસેજ કર્યો હતો ત્યાર બાદ બાળકીના માતા પિતા મળી આવ્યા હતા અને જેની પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવીને બાળકીનાં પરિવારનું કાઉન્સેલીગ કર્યું હતું જેમાં સામે આવ્યું હતું કે તેઓ મૂળ ઝારખંડના છે અને છેલ્લા છ મહિનાથી મોરબીની એક કંપનીમાં રહીને મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

વધુમાં બાળકીના માતા પિતાએ જણાવ્યુ હતું કે, તેઓએ બંને નાઈટ ડ્યુટી કરીને આવ્યા હતા અને સૂતા હતા અને તેઓની બાળકી બીજા બાળકો સાથે એક દુકાન પર ભાગ લેવા માટે તેઓની જાણ બહાર ઘરેથી નીકળી ગયેલ હતી અને તેઓ ઉઠ્યા ત્યાર તેઓની બાળકી ઘરે ન હતી જેથી તેને શોધી રહ્યા હતા ત્યારબાદ અભયમની ટીમે જરૂરી સલાહ, સુચન અને માર્ગદર્શન આપ્યું હતું અને બાળકીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.






Latest News